________________ 147 - આજના સર્વોદયી વિચારકોમાં આર્થિક અને સામાજિક સિવાય બધા ક્ષેત્રેથી અલગ રહેવાની વૃત્તિ આવી છે તે ઉચિત નથી; તેમજ સંગઠનમાં ન માનવાથી નીતિનિષ્ઠાને પાયે કા રહી જાય છે. (4) ચારે પ્રકારનાં સંગઠનને અનુબંધ : વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનું ઉપરની વિચારસરણીને અનુરૂપ ચોથું સૂત્ર એ છે કે વિશ્વ વાત્સલ્યના સાધકે આ માનવજીવનના બધા ક્ષેત્રોમાં કામ કરનાર ચારેય સંગઠને [ (1) ક્રાંતિપ્રિય સાધુ-સન્યાસીસાધ્વી (2) સર્વાગી દૃષ્ટિવાળા લોક સેવકે (3) નૈતિક જનસંગઠને (4) રાજ્ય સંસ્થા (કોગ્રેસ) ની સાથે અનુબંધ રાખશે અને અનુબંધ વિચારને મૂકીને એક પણ ડગલું આગળ ભરશે નહીં. આ સૂત્ર ઉપરથી નીચેના ચાર મુદાઓ ફલિત થાય છે - [1] જ્યાં અનુબંધ તૂટતો કે તૂટેલો હશે અથવા બગડો કે બગડેલો હશે ત્યાં વિશ્વ વાત્સલ્યનો સાધક તેને સાંધવા કે સુધારવા મથશે. [ ] અયોગ્ય તને (જેમકે કોમવાદી, હિંસાવાદી, મૂડીવાદી બળ કે પક્ષો, અસ્પષ્ટ દષ્ટિવાળી કે એવા પક્ષોને ટેકો આપનારી સંસ્થાઓ) પ્રતિષ્ઠા આપવાથી કે ટેકો આપવાથી અનુબંધ બગડે છે એમ માની, કામ વધારે થવા માટે, જલદી થવા માટે, કે કાર્યમાં મદદ મેળવવા માટેના લાભમાં કે શેહમાં તણાઈને, અથવા નાહક સંઘર્ષ થશે એથી ડરી જઈને વિધવાત્સલ્યને સાધક તેને પ્રતિષ્ઠા કે ટેકો આપશે નહીં. એવી જ રીતે પૈસાદાર કે સત્તાધારીને માત્ર પૈસા , કે સત્તા ખાતર મેટું પદ કે પ્રતિષ્ઠા આપશે નહીં. [3] અનુબંધ રીતે જે ચાર સુસંસ્થાઓનો આ ક્રમ છે - (1) ક્રાંતિપ્રિય સાધુ, સન્યાસી સાથ્વી (2) સર્વાગી દૃષ્ટિવાળા લોકસેવકોનું સંગઠન (3) ને તક જન સંગઠન, અને (4) રાજ્ય સંસ્થા. એ ચારેયને, વિધવાત્સલ્યનો સાધક જેનું જ્યાં સ્થાન અને યોગ્ય ક્ષેત્ર Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.