________________ 110 વાત્સલ્યમાં માન ન હોવું જોઈએ પૂ. દંડી સ્વામીએ માતૃપક્ષમાં જે બેટી માન મર્યાદા પ્રવેશી છે તેનો દાખલો આપતાં કહ્યું : “વિશ્વ વાત્સલ્યનાં એકમોની વાત બરાબર છે. પણ એ એકમે સારાં હોવાં જોઈએ. આજે તે એવું બને છે કે વહુ ના પાડે તેમાં પણ સાસુને પિતાના મોઢે “ના” નથી કહેવાણું એમ સમજીને હીણું લાગે છે. એક બ્રાહ્મણને એક વહુએ લોટ ન આપે. રસ્તામાં સાસુ મળ્યા, ગિર મહારાજને કહ્યું : “પાછા ચાલો !" એમ કહીને ગરજીને સાથે લઈ ગયા. પછી ઘેર જઈને ડેલીએ ઊભી ને કહ્યું : “મહારાજ, પછી આવજે!” પેલા બ્રાહ્મણે કહ્યું: “તે, પછી મને શા માટે પાછો લાવ્યા હતા?” ત્યારે સાસુએ કહ્યું : “મહારાજ ના પાડવાની સત્તા વહુની ન હોય. તે મારી છે એટલે તમને પાછા બોલાવી ના પાડી. કાલે કોઈ એમ તે નહીં કહેને કે સાસુનું ચાલતું નથી?” આવાં ખોટાં માન-અપમાનમાં રાચીને માતૃપક્ષ લજાઈ રહ્યો છે. જેતપુરને પણ એક એવો દાખલો છે. ત્યાં એક દુર્ગણ સ્ત્રી પિતાના પતિ સાથે બાઝયા તે કરે પણ તેને મારેય ખરી. બધા ઘણ રીતે સમજાવી પણ તે તો ધણીને બાયલો જ ગણે. અંતે તેને તોડ કાઢવા સલાહ આપી: “ખેતર તારે નામે છે! તો તું ખેતી કર અને અનાજ લઈ લે. બનતું નથી તે જુદી ઓરડી રાખીને રહે !" આમ થવાથી બાઇની અક્કલ ઠેકાણે આવી. . ટુંકમાં માતપક્ષ ભાતભાવથી નીચે ઉતરત જઈ રહ્યો છે તેને સુધારો રહ્યો અને કુટુંબ એકમને સદ્ધર બનાવવું જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust