________________ 109, સમાન “માતા” પિતાના સ્થાનેથી નીચે ઊતરતી જાય છે. જ્યાં સુધી માતૃપક્ષ સબળ, સમૃદ્ધ અને ઉન્નત ન બને ત્યાં સુધી વિશ્વ વાત્સલ્યનું રેડાણ ક્ષણ બને છે. આજે સ્ત્રીઓમાં આપઘાતના બનાવો વધતાં જાય છે. દાંડ. તો તેને કચડી નાખવા પ્રયત્ન કરે છે. ચારસો માણસની વસતિના એક ગામની આ વાત છે. ત્યાં એક બાઈ સગર્ભા હતી. બિચારીનું કઈ ન સાંભળે. તેનો પતિ પણ ન સાંભળે. તેની સાસુ તેના ઉપર ગુજારવામાં બાકી ન રાખે. ધણી માના સૂરમાં સૂર ભેળવે. તેને કોઈ સમજાવનાર પણ નહીં. તેમને માર્ગદર્શન આપનાર પણ કોઈ નહીં. એટલું જ નહીં કોઈ વચ્ચે પડવા જાય તો તેના માર્ગમાં અવરોધ થાય. આ બાઈ એટલી બધી કંટાળી ગઈ કે આપઘાત સિવાય કઈ આરે ન રહ્યો. ખરેખર એ વાવમાં જઈને પડી. એનાં કાગળિયાં થયાં પણ ખોટાં. સરપંચને તે કુટુંબે વશ કરેલા.. એટલે સરપંચે પોલીસ પટેલને સાધ્યા અને તેમણે એક હલકાં ચારિત્ર્યવાળી બાઈને સાક્ષીમાં ઊભી કરી; જેણે કહ્યું : “મરનાર બાઈને વાઈ આવતી હોવાથી વાવમાં પડી ગઈ છે. તે મેં જોયું છે!” કેસ ઊડી ગયું. પેલું કુટુંબ પોતાની દાંડાઈ ઉપર રાજી થયું અને પાછી સમાજમાં એની પ્રતિષ્ઠા પણ કાયમ રહી. તે છોકરાંને બીજી કન્યા આપનાર માબાપ પણ મળી રહ્યા. આમ આજે માતૃપક્ષ નીચે પડી રહ્યો છે. - આને દૂર કરવા માટે ભાલનળ કાંઠા, કચ્છ અને ગુજરાતનાં જેવાં નક્કર ખેડૂત મંડળે વિ. સંગઠને ઊભાં થાય તો દેશભરમાં ભાવપક્ષ. સાથે થતો અન્યાય દૂર થઈ શકશે અને પત્નીને સળગાવી નાખવી: વહુને મારી નાખવી કે કન્યાઓએ કુ પુરવાની વાત એછી સાંભળવા મળશે. તેમજ એવાં તત્તનું સામાજિક મૂલ્યાંકન થતાં તેમની પ્રતિષ્ઠા .. નહીં રહે. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.