________________ 111 અભેદ સેવા શ્રી સવિતાબેને કુટુંબ વાત્સલ્યને સેવા રૂપે બીજા સુધી રેડવાને દાખલો આપતાં કહ્યું - એક પટાવાળાને 1060 ડીગ્રી તાવ આવેલ. તે વખતે મોટા મંત્રીએ સેવા ન કરી પણ અમે બન્નેએ (પત્ની-પતિ) સેવા કરી તે વખતે મંત્રીના ઠરેલા પત્નીએ કહ્યું : “એવાને બહુ ન ચઢાવીએ.” અમારે તે સેવા કરવી હતી એટલે કરી. પટાવાળે સાજો થયો તે અમારો ખૂબ ઉપકાર માનવા લાગ્યો, મેં કહ્યું : “ભાઈ! તું હમણાં જ પરણ્યો છે. તારી મા હોય તો તેને કેવી લાગણી થાય ! એવી જ પ્રેરણાએ અમે બન્યું તે કર્યું છે. અમારે છેક માંદ પડે તે અમે સેવા કરીએ કે નહીં ?" બિચારે ઉપકારવશ થઈને ગળગળા થઈ ગયા. તે મંત્રીનાં પત્નીને લાગ્યું કે અમે દેખાવ કરીએ છીએ. તેમણે અમારી બન્નેની પરીક્ષા લીધી. પણ એમને ખાતરી થઈ કે આમને (અમને) કશા પણ પૂર્વગ્રહ કે સ્વાર્થ વિના સેવા કરવાની ટેવ છે. એટલે રાજી થયાં. આ પ્રસંગ એટલા માટે કહેવો પડ્યો કે મોટા ગણાતા અને ગાંધીબાપુના વખતના આગળ વધેલા લોકો પણ અભેદભાવે સેવાની વાત ભૂલવા લાગ્યા છે. જેથી આપણું કામ ઘણું કઠણ થઈ પડયું છે. વિશ્વવાત્સલ્યને રસ્તે જવાની ભાવના પ્રભુ કાયમ રાખે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust