________________ એમણે તૈયાર કરેલા અત્યારે તે નથી ત્યારે આ એમની મરણોત્તર પ્રસિદ્ધ થતી પ્રસાદીને નિમિત્તે એની નોંધ લઉં છું. * શ્રી. લાડને પણ અત્રે આભાર માનું છું. વાચક જોશે કે, પુસ્તકના પૂઠા ઉપર બે ચિત્રો મૂક્યાં છે. તે શ્રી. લાડની પ્રેરણા છે. આ ચિત્રો એમની સમિતિ તરફથી પ્રગટ થતા ધર્માનંદ સાહિત્યનાં પુસ્તકોને માટે તેમણે કરાવ્યાં છે. તે ચિત્રોને ગુજરાતીમાં પણ લેવાની સૂચના કરી તેમના બ્લૉક અમને વાપરવા આપ્યા, તેની અહીં સાભાર નોંધ લઉં છું. આ પુસ્તક “શ્રી રાજચંદ્ર જયંતી માળા’ના બીજા મણુકા તરીકે પ્રગટ થાય છે. તેને પહેલે મણકે “આત્મસિદ્ધિશાસ્ત્ર” પણ ત્રી. મુકુલભાઈ એ જ તૈયાર કર્યો હતો. એ પરથી તે ગુજરાતી વાચકોને પરિચિત છે. તે વિદ્યાપીઠના સેવક હોઈ તેમનો આભાર માનવો ન ઘટે. છતાં પ્રેમ અને ઊલટથી શ્રમ લઈને આ કામ તેમણે કરી આપ્યું તેની મિત્રભાવે નોંધ લઉં છું. શ્રી ધર્માનંદજી, એમના નામ પ્રમાણે, એક ધર્માત્મા હતા. “બહુજનહિતાય, બહુજનસુખાય " ધર્મ કાર્ય કરતા રહેવામાં જ તેમને આનંદ હતો. અને એ એમણે પોતાની અપાર વિદ્વત્તા અને સતત અભ્યાસની વિભૂતિ દ્વારા, સાહિત્ય રચીને સને આપ્યો છે. આ પુસ્તકથી તેમાં ઉમેરો થાય છે, તે વાચકોને આવકારપાત્ર થશે એવી આશા છે. 15-3-55 અનુક્રમણિકા પ્રકાશકનું નિવેદન પ્રસ્તાવના [ અ. ધર્માનંદ કોસંબી] શ્રી. ધર્માનંદ કેજસં બીજી [મુકુલભાઈ કલાથી ] શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કોસંબીજી [પંડિત સુખલાલજી] બાધિચર્યાવતાર 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust