________________ સુમિત્રનું દેશાંતર ગમન 31 રૂપ હતું તો શીલ ન હતું. શીવ હતું તો સંસ્કાર ન હતા. તંદુરસ્તી હતી તો બીજુ બધું ન હતું. ઘણે બધે સમય આમ તેણે રઝળપાટ કર્યો. એક દિવસ દડમજલ કરતાં સુમિત્રે વત્સ દેશમાં પ્રવેશ કર્યો. વિવિધ ગામ નગરને નીરખતો નીરખતો તે કૌશાંબી નગરીમાં આવ્યું. આ નગરીની પ્રશંસા તેણે પિતાની સફરમાં ઘણી સાંભળી હતી. રાજગૃહથી પિતાને નીકળે ઘણો સમય થઈ ગયો હતો. અને હજી સુધી જે કામે નીકળ્યો હતો તે કામ પૂરું થયું ન હતું. તેને મનોમન એમ લાગતું હતું કે આ નગરીમાં તેનું કામ જરૂરથી સફળ થશે. આ માટે તેની પાસે કઈ નકકર કારણ ન હતું. પરંતુ સુમિત્રનો આત્મા તેને કહેતો હતો કે હવે આ સફરને શુભ અંત અહીં જ આવી જશે. - આ કૌશાંબી નગરી રાજગૃહનગરીથી જરાય ઉતરે તેવી ન હતી. ઊંચી ઊંચી હવેલીઓ, ગગનચુંબી જિનાલ, વિશાળ રસ્તાઓ, રસ્તાઓની બે બાજુઓએ શીતળ છાંય પાથરતાં આસોપાલવનાં વૃક્ષો, એ રસ્તાઓ ઉપર ચાલ્યા જતા રથે, હણહણાટ કરતાં પાણીદાર વેત, કથઈને કાળા અો, મલપતી ગતિએ ચાલતાં મદોન્મત ગજરાજે અને અઢારે આલમથી ઉભરાતાં વિવિધ ચૌટાઓ, આ બધું જોઈને સુમિત્રને રાજગૃહની યાદ આવી ગઈ. આ નગરી ઉપર માનસિંહનું રાજ્ય ચાલતું હતું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust