________________ 191 મેત પણ ન આવ્યું સુપાત્રદાનથી શોભે છે, કંકણથી નહિ. શરીર પણ પરેપકારના પરસેવાથી શોભે છે, ચંદનથી નહિં. - સૂર્ય કમળને વિકસીત કરે છે. ચંદ્ર કૈરવ સમુહને વિકસીત કરે છે. પૃથ્વી ઉપર મેઘ પાણે વરસાવે છે. આ માટે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી, કેઈની માંગણી કે યાચના, વિનંતી કે પ્રાર્થનાની રાહ નથી જોતા. તે પોતાની મેળે જ, આ મારે કરવાનું જ છે, કરવું જ જોઈએ સમજીને તેનું કામ કરે છે. સજજને અને પુરુષોને સ્વભાવ પણ એવો જ હોય છે. ભીમસેને તો મૃત્યુને આલિંગન કર્યું હતું. તે કંઈ કોઈની પાસે ભિખ માંગવા નહોતે ગયે, કે અરે ! મને કોઈ મત આપે. અને ગળે ફાંસો ખાધે ત્યારે પણ તેણે બૂમ નહોતી મારી કે, “બચાવો ! બચાવે ! હું મરી રહ્યો છું !" - શેઠે દૂરથી એ દશ્ય જોયું. તેમને પરોપકારી આત્મા તરત જ ત્યાં દેડી આવ્યો. અને ભીમસેનને મૃત્યુના દુઃખમાંથી ઉગારી લીધું. શેઠે તેને પવન નાંખ્યો. શીતળ જળનો છંટકાવ કર્યો. હાથ–પગ દબાવ્યા. માથે પંપાળે. વાંસે હાલથી હાથ ફેરવ્ય. બંધ મોંમાં ધીમે ધીમે પાણી પાયું. આ બધી ક્રિયાથી ધીરે ધીરે ભીમસેન ભાનમાં આવતે ગયે. દુઃખથી તે તે મરી જ ગયો હતો. મન તે તેનું કયારનું ય મરી ગયું હતું. પણ દેહને પ્રાણ નહોતે ગયે. એક તેણે જ સાચી વફાદારીપૂર્વક તેનો સાથ પકડી રાખ્યો હતો. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust