SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જામાનના પ્રકૃતમતના વ્યાખ્યા. છે ત્યારે મારી ઇષ્ટ સિદ્ધિ થાશે. નિશ્ચય એમ થવાથી ઉભયભારતી કામશાસ્ત્રના કે વિચારમાં પરાજીત થાશે. .: શંકરની વાત સાંભળી સનંદન ધીર ભાવે બોલ્યો “પ્રભે છે. તમે પસ્મિતૃપુરૂષ.. તમારાથી કાંઈ અવિદિત નથી, તોપણ મારી માનસિક ભક્તિ * આપના ચરણે કાંઈક નિવેદન કરવા સારૂ મને પ્રેરે છે. હે ગુરૂ ! આ વાચાલ | શિષ્યને કૃપા કરી ક્ષમા આપશો, હું એ વિષયમાં એક પુરાતન ઇતિહાસ કહું છું તે સાંભળે " પૂર્વકાળે મત્સ્યદ્ર નામના એક મહાત્માએ, પિતાના . શરીરની રક્ષા, સારૂ પિોતાના પ્રિય શિષ્ય : ગોરક્ષને આજ્ઞા કરી કેાઈ મૃત - રાજાના શરીરમાં પ્રવેશ કર્યો. એ ગિવર રાજ્યસિંહાસને બેસી, રાજ્યને ઉપભોગ કરવા લાગ્યો, જેથી રાજ્યના અભૂત પુર્વ ઉદય થયો. સઘળા મે : યોગ્ય સમયે વર્ષણ કરવા લાગ્યા. મંત્રીઓ તે જોઈ વિચારવા લાગ્યા. તેઓએ વિચાર્યું. જે નિશ્ચિત કઈ સ્વર્ગીય માણસે રાજાના દેહમાં પ્રવેશ કર્યો છે. હવે તે દેહ ભ્રષ્ટ ન થાય તેવો ઉપાય કરવો જોઈએ. ત્યારપછી તેઓએ રાજાના જનાનખાનાની સુંદરીઓને ઉપદેશ દીધો કે તેઓએ સંપૂર્ણ રીતે . હાવભાવ કરી રાજાના દેહમાં પેઠેલા મહાત્માને વશીભૂત કરવા, સુંદરીઓએ તે પ્રમાણે કર્યું. એ કમલ નયના સુંદરીઓને હાવ ભાવ વિલાસ વિગેરે. જે રાજાના દેહમાં રહેલો મહાત્મા, પિતાના અસલ સ્વરૂપને વિકૃત થઈ ગયો, તેને યોગ કાંઈ પડી રહ્યો. તેની સમાધિ પણ કાંઈ પડી રહી, તે સામાન્ય માણસની જેમ વિષય ભોગ ભોગવવા લાગ્યો. ગોરક્ષનાથ ગુરૂની પ્રવૃતિ જાણી અત્યંત દુઃખિત થયો, અને અત્યંત સાવધાનથી ગુરૂના દેહની રક્ષા કરી અંતઃપુરમાં રાજમહિલાઓને નૃત્ય શિખવવા સારૂ રાજ ભવનમાં પેઠે અને છાનાથી ગુરૂની પાસે જઈ તત્વજ્ઞાનનું અનુશીલન કરવા લાગ્યો. તેની પ્રવૃતિથી મહેંદ્રનાથને ચેતન્યોદય થયો. ત્યારપછી વિષયાનું. ..રાગ નિવૃત થઈ ગયા, પછી તે મહાત્મા મચેંદ્રનાથ રાજાનું ખોળીયું છેડી. પિતાના અસલ ખોલીયામાં આવ્યો.” તેથી હે ગુરૂ ! વિષયાનુરાગ અત્યંત ભયંકર છે તે દ્વારા અનેક સમયે તાપસ લોકની તપસ્યાનો ભંગ થાય છે. તમે સર્વ વાતમાં કૃતી અને - દક્ષ છે, સઘળાની બાબતમાં ચારે તરફ જોઈ જે કરવાનું હોય તે કરે ! વિચારી જુઓ ! આપણું પાળેલું બ્રહ્મચર્ય વૃત કયાં? અને એગહિંત કામશાસ્ત્ર કયાં ? આપ એ નિંદિત કામ શાસ્ત્રમાં પ્રવૃત થાશો તો આ જગત .. અનવસ્થા દોષે કલુષિત થાશે. ' 1 અરિક્ષરતા અતિ આમય થન્યતા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy