SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવરકરાચાર્ય ચરિત. ગયો તોપણ તેએાની વાદ કથા જારી રહી. એ રીતે બન્નેના વિવાદમાં સત્તર દિવસ ચાલ્યા ગયા. ત્યાર પછી ઉભયભારતી વેદવેદાંગ દર્શન વિગેરે શાસ્ત્રના વિચારમાં શંકરને પરાસ્ત ન કરી શકવાથી મનમાં ચિંતા કરવા લાગી. આ તિવરે બાલ્ય કાળમાં સંન્યાસ ધર્મનું અવલંબન કર્યું છે, અને અત્યંત કઠોર નિયમ પાળી કાલાતિપાત તે કરે છે. કોઈ દિવસ બ્રહ્મચર્ય થકી વિસ્મૃત અને ભ્રષ્ટ થયેલ નથી તેથી ખરેખર તેને કામશાસ્ત્રની વાકેફગારી નહિ હોય. કામશાસ્ત્રના તર્ક દ્વારા તેનો પરાજય કરો હવે યુકત છે. ત્યાર પછી ઉભય ભારતીએ શંકર ઉપર લક્ષ્ય કરી કામદારત્ર સંક્રાંત કેટલાક પ્રશ્નો કર્યા. તેણે શંકરને કહ્યું “હે સર્વજ્ઞ ! તમે કહો ! કામ કલા કોને કહે છે? કામકલા કેટલા પ્રકારની છે? પુરૂષ અને સ્ત્રીનાં કયા કયા અંગને આશ્રય કરી કામકલા રહે છે ? શુકલ પક્ષમાં અને કૃષ્ણપક્ષમાં તેની અવસ્થિતિને કે ભેદ છે ? યુવતી કામિની ઉપર અને યુવા પુરપ ઉપર કેવી રીતે એ કામ ? કળાનું અધિપત્ય હોય છે ? - ઉભયભારતીમા એ પ્રશ્ન સાંભળી શંકર તેઓના ઉત્તરદેઈ શક્યા નહિ.' શંકરે મનમાં વિચાર્યું જે હું એ કામકલા સંક્રાંત પ્રશ્નનો ઉત્તર ન દઈ : શકું તો મારી અજ્ઞતા જાહેર થાય અને તેના ઉતર દઈ શકું તે મારા પતિ ધર્મની ભ્રષ્ટતા જાહેર થાય. હવે મારે શું કરવું ? એમ વિચાર કરતાં . થોડીક ક્ષણ શંકર મુંગા રહ્યા. છેવટે ઉભયભારતીને લક્ષ્ય કરી શંકરે કહ્યું, દેવિ ! કામકલા સંક્રાંત પ્રશ્નોના ઉત્તર દેવા સારૂ મને એક માસની મુદત આપો. એક માસ પછી તમે એ વિષયની તકરારમાં મારી સાથે પ્રવૃત્ત થાશે, એક માસની મુદતની અંદર એ સઘળા પ્રશ્નોનો મારે વિચાર કરવાનો છે. ઉભયભારતીએ, શંકરનો પ્રસ્તાવ અનુમોદન કર્યો, શંકરે શિષ્યોની સાથે તે સ્થાનથી પ્રસ્થાન કર્યું. થોડેક દૂર જતા શંકરના જોવામાં આવ્યું : જે કોઈ એક જ મૃગયા કરી આવતાં વનમેધ્ય એક વૃક્ષની નીચે મૃત અવસ્થામાં પડ્યો છે. અસંખ્ય સુંદર સ્ત્રીઓ તે રાજાના દેહને વીટી રૂદન કરે છે. સંમુખે અમારા વિગેરે નેકર અને રૈયતનાં માણી શકાયું ચિ તથી બેઠાં છે. ત્યારે શંકરે, પ્રિય શિષ્ય સનંદનને લક્ષ્ય કરી કહ્યું " વત્સ સનંદન ! હું મારી સર્વજ્ઞતા શક્તિ પરિપૂર્ણ કરવા યોગ પ્રભાવે બીજા " દેહમાં પેસી અપૂર્વ લાવણ્યવતી પ્રમદાને હર્ષ, શોક, ક્રોધ, ભયં; હાવ, વગેરે અનુભવી કામકળાની નિપુણતા મેળવવા હવે ચેષ્ટા કરી, તેમાશે* P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy