________________ ભાવ, અધિક પરિમાણે લક્ષિત થાય છે. આ નાના પુસ્તકમાં અદ્વૈતમતના પ્રતિષ્ઠાતા ભગવાન શંકરાચાર્યના જન્મથી તે દેહ ત્યાગ પર્વતના સઘળા જીવનની પ્રધાન પ્રધાન ઘટનાવની વિસ્તૃત કરી છે. ભગવાન શંકરાચાર્ય આવિભૂત થયા તે સમયે કેઈએ તેમનું જીવનવૃત પુસ્તકાકારે લિપિબદ્ધ કરી રાખ્યું નથી. કેવળ ભગવાન શંકરાચાર્યના સ્થાપેલા મઠની શિષ્યમંડલીએ ગુરૂદેવના જીવનનાં પ્રધાન પ્રધાન કાયે લખી રાખ્યાં છે. તે શિવાય ભગવાન શંકરાચાર્યનાં અલોકિક કાર્યની ઘટનાવની દક્ષિણાપથના કેરલ પ્રદેશના મુખેથી સાંભળવામાં આવે છે. તે સાંધન પણ ઘણી ખરી રીતે ભગવાનના જીવન ચરિત લખવામાં મદદગાર છે. . . . . . . . . . . . . . . પ્રાચીન સમયમાં શંકરાચાર્ય ચરિત જે રચેલ છે તે યથાર્થ જીવન ચરિતમાં ગણાય તેમ નથી; એવા ગ્રંથમાં છેવટને ગ્રંથ વિદ્યારણ્યસ્વામીને રચેલ શંકરવિન્ય ગ્રંથ છે. વિદ્યારણ્યસ્વામીએ નવ કાળીદાશ. નામથી એ ગ્રંથ મહાકાવ્ય જે રચેલે છે; એ ગ્રંથનું અવલંબન આ લેખમાં મદદગાર થઇ પડયું છે.. , સંસ્કૃત ભાષામાં ભગવાન શંકરાચાર્યના જીવન ચરિતનું વર્ણન , ત કરનાર હાલ ત્રણ ગ્રંથે જોવામાં આવે છે. માધવાચાર્ય ચરિત શંકરવિય. આનંદગિરિકૃત શંકરવિજ્ય. અને ચિંદ્વિલાસ ચતિપ્રણીત શંકરવિજય. એ ત્રણ ગ્રંથોમાં પહેલે ગ્રંથ ભગવાન શંકરાચાર્યના શિષ્ય મંડળમાં વિશેષ પૂજત છે. એ ગ્રંથના પ્રણેતા માધવાચાર્ય " સર્વદશન સંગ્રહ " નામને પ્રસિદ્ધ દશનિક ગ્રંથ રચી વિખ્યાત થયેલ છે. કેટલાએક કહે છે કે એ માધવાચાર્ય વેદના ભાષ્યકાર સાયનાચાર્યના જેષ્ઠ ભ્રાતા થાય કેટલાએક તેને સાયનાચાર્યથી અભિન્ન આસામી ગણે છે પ્રત્ન તત્વજ્ઞ લેકેએ ગ ભીર શોધ દ્વારા સ્થિર કરેલ છે કે . માધવાચા, ઈસવીસનના ચાદમાં સિકામાં પેદા થયેલ છે. એમ કહેવાય છે જે માધવાચાર્ય. વિજ્ય નગરના બુક રાજાનો પ્રધાન મંત્રીપદ ઉપર હતા. છેāટે સંન્યાસ આશ્રમનું અવલબન કરી ગગિરિ મઠાયતનના અધિકારી થયા. સન્યાસ અને વલંબન કર્યા પછી માધવાચાર્યનું નામ વિદ્યારણ્ય પડયું. માધવાચાર્ય, ભગવાન શંકરાચાર્યનાથી તે મઠાયતનની ગાદીએ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust