SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ મુખ્યબંધ. - ભારતીય સાહિત્યમાં ભગવાન શંકરાચાર્યનું જે અક્ષય ગે રવ પ્રતિષ્ઠિત રહેલું છે તેથી શંકરાચાર્યના નામે જે જુદા જુદા અલોકિક વૃત્તાંતે રચિત થયા છે તેમાં કાંઈ પણ વિસ્મય થવાનું કારણ નથી, મહાત્માઓનાં ચરિત અનૈસર્ગિક અને અલૌકિક બીનાથી પૂર્ણ હોય છે. ભગવાન શંકરાચાર્ય, પ્રદીપ્ત ભાસ્કરની જેમ ભારત ગગનમાં ઉદિત થઈ ગયા છે, અને તેમના જ્ઞાનરશિમના પ્રભાવે ભારતવર્ષમાં નવીન જીવન સંચારિત થયું છે, તેમનું યથાર્થ જીવન ચરિત, ભાષ્યાદિ ગ્રંથમાં અને ભારતવવર્ષના ચિંતાશીલ મસ્તિષ્કમાં અનુપ્રવિષ્ટ થઈ રહેલ છે. પૂજ્ય, માનનીય અને પ્રિયજનને સાધારણ વૃત્તાંત અને ચ. રિત જાણવા અને તેની સમાલોચના કરવા સઘળા લોકને અનુરાગ પેદા થાય છે. જે અનુરાગ ઉપરથી તેમના ચરિતની લેકિક કે અલોકિક ઘટના વળી જેવા માણસનું ચિત્ત એકાંત આતુર રહે છે. - મહાત્માની રહેણી તથા કરણી જોઈને જ આ વિશ્વ સન્મા વળગે છે. મહાત્માનાં જીવન ચરિત તથા મહા વાજ આ જગના રક્ષણ કરનાર છે, મહાત્માઓનાજ ઉપદેશથી આ જ ગતનું મંગળ તથા શુભ છે, મહાત્માઓને આર્વિભાવ આ જગતમાં ન હોય તે જગત્ આલોકિત ન થતાં અંધકારમાં રહી પાશવી વૃત્તિનું અવલંબન કરત. મહાત્માઓનાંજ વચનામૃત આ જગતને સન્માર્ગે દોરે છે, સારે ઇનસાફ, મહાત્માઓના વાકથીજ થાય છે, સંક્ષેપમાં મહાત્માઓના બેલ, જગતને સદ્ધર્મમાં, સદથમાં અને સારા કામમાં પ્રવર્તાવે છે. વળી એટલું નહિ પણ તેઓના સંગથી માણસ ભવાર્ણવતરી આ સંસારમાં અપુનરાવૃત્તિ મેળવે છે. આર્યાવર્ત કરતાં દક્ષિણાપથમાં ભગવાન શંકરાચાર્યને પ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy