SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ દિગ્વિજય યાત્રા.. નવગુપ્તને હરાવ્યો. એ દારૂણ પરાજયથી અભિનવગુપ્તના મનમાં અતિશય ખેદ ઉત્પન્ન થયો. તેણે મનમાં વિચાર્યું કે " જો કે શાત્ર વિવાદ્ધમાં હું આ યતિથી પરાજય પામ્યો છું તો પણ દેવકાર્ય દ્વારા તેનું મરણું કરી માનસિક કલેશ દૂર કરૂં.” તેણે સઘળાના રૂબરૂ શાક્ત ભાવ્ય છેડી દઈ શંકરની પાસે શિષ્યની જેમ આચરણું કરવા લાગ્યો. . * * * એમ કહેવાય છે કે એક દિવસ, અભિનવગુતે શંકરને લક્ષ્ય કરી મંત્ર પ્રયોગ કર્યો, તેની અભિચાર ક્રિયા સંપૂર્ણ થઈ ત્યારે શ કરને દૂરશું ભગંદર રોગ પેદા થયો. એ ભગંદરમાંથી અનવત પ્રબળ વેગે લોહી નીરસવાથી લોહીના પ્રવાહે શંકરના વસ્ત્ર ભીંજાઈ જતાં હતાં. બુર અનુરક્ત શિષ્ય તોટકાચાર્ય: કાંઈ પણ કંટાળો ન લાવતાં તે લેાહીવાળ પરિત્યક્ત ગુરૂનાં વસ્ત્ર પ્રત્યહ પ્રક્ષાલન કરી મોટાનથી ગુરૂની પારગર્યો કરતો હતો. પ્રતિદિન એ ઉત્કટવ્યાધિ વધતો જોઈ શિષે ભય પામી ગુરૂ શંકરને કહેવા લાગ્યા “પ્રભો ! આપ આ દારૂણ વ્યાધિની ઉપેક્ષા કં. જે શતરૂનું દમન ન કરાય તો તે ક્રમે ક્રમે વધતે જઈ હરકત કરો. આ રોગના સંબંધે આપે એવું જ જાણવું, આપ જે આ રોગની જ૮. દીથી આરામની વ્યવસ્થા નહિ કરો તો જલદીજ એ ભયંકર રોગ આપના શરીરને ક્ષય કરી દેશે. આપને આપના શરીરની કાંઈજ ભમતા નથી. આપ એ વ્યાધિને કાંઈ ગણકારતા નથી. તો પણ આપનું આવું દારૂનુ દુખ જોઈ અમને અસહ્ય કલેશ પેદા થાય છે. એથી ચિકિત્સા શાસ્ત્રમાં નિપુણ અને ઔષધ પ્રયોગમાં કાબીલ વૈધની દવા કરવી જોઇએ. >> શંકર શિષ્યોની એ વાત સાંભળી બોલ્યા પ્રિય શિષ્યો ! તમે હાલ મારી કેટલીક વાત સાંભળો ! જન્માંતરીન પાપના પરિપાકનું નામ વ્યાધી–ભોગબારા એ વ્યાધિનો ક્ષય થાય છે. તેને ભોગ ન થાય તે પાછો જન્માંતરે એ વ્યાધ ઉત્પન્ન થાય છે. જગતમાં વ્યાધ બે પ્રકારના છે. એક વ્યાધિ કર્મકૃત્ત અને બીજી વ્યાધિ ધાતુકૃત્ત, કર્મ ક્ષય થાય ત્યારેજ કર્મજન્ય વ્યાધિનો ક્ષય થાય છે, અને બાકીના બીજે ધાકૃતવ્યાધ ચિકિત્સાકારા નાશ પામે છે. જે રોગ મને પેદા થયો છે તે રોગ કામના ક્ષય ઉપર ખુદ તેિજ ક્ષય પામશે. એથી હવે તેની ચિકિત્સા કરવી દુરસ્ત નથી. ગુરૂની વાત સાંભળી શિષ્યોએ કહ્યું " ગુરૂ ! આપ * 1 અ ભિનવગુપ્ત નામના અનેક વિદ્વાનો થયા છે તે વિદ્વાનોમાં એ અભિનવગુપ્ત આભિચારિક શાકત હતો, તે જાતિને બ્રાહ્મણ હતો સાર, મેહન, ઉચાટન, વશીકર, વગેરે તાંત્રિક કર્મનું નામાભિચાર છે. : * ::: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy