SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવચ્છકશચાય ચરિત. ભ્રમણથી જેવી અનાયાસે ચિત શુદ્ધિ થાય છે તેવી બીજા કોઈથી થાતી નથી. જન્માંતરમાં જે પાપરાશિ સંચિત કરેલ હોય તે જ પરજન્મે રેગ રૂપે પરિણત થાય છે. " એવી રીતનું જે શાસ્ત્ર વાકય છે તે વિષયમાં મારું કાંઈ પણ મતદૈધ નથી. એટલે કે જન્માંતરનાં સંચિત પાપ હશે તો તે સ્વદેશમાં કે પદેશમાં લીભૂત થાશે. કારણ કે અભુક્ત કર્મનાં ફૂલ, સર્વદા પ્રાણીનું અનુગમન કરે છે. માણસ સ્વદેશમાં રહે કે પરદેશમાં જાઓ પણ તે. કાળઅસમંથી બચતો નથી. ત્યારે જે " દેવદત વિદેશમાં જઈ મુઓ છે” એવું લેકમાં જે બોલાય છે તે માત્ર અવિવેક હશેજ. મહેપ નુ પરાશર વીગેરે ધર્મશાસ્ત્રકારોએ, દેશ, કાલ, આમ, દ્રવ્ય, દિવ્યનું પ્રયોજન યુકિત અને અવસ્થા એ સઘળું જોઈ અને જાણી શોચનો આરંભ કરવો એમ કહેલ છે, તેથી હું એ સધાળા શ સ્ત્રકારના વન ઉપર શ્રદ્ધા રાખી કઈ રીતનાં શાચનું બંધન કરું તેથી મને કઈ પ્રકારની હાની થાશે નહિ, કારણ કે દેશમાં જે સઘળા આપાર વિહત હોય તે સઘળા આચારનો વિદેશમાં અતિક્રમ થાય તો તેમાં દોષ હાય નહિ, એવું શાસ્ત્રકારનું અભિયત છે. વળી જુઓ ! દેવ અનુકુળ હોય તો લોકમાં અને અરણ્યમાં અન્નપાન મળે છે. અને પ્રતિકુળ હોય તો પાસે આવેલું અન્નપાન નાશ પામી જાય છે. અનેક લોકો તીર્થ દર્શન કરવાની ઈચ્છાએ ઘર છોડે છે. અને ખુશીથી તીર્થ દર્શન કરી ઘેર પાછા આવે છે, વળી કોઈક આસામી તીર્થ દશા કરવા જાય છે. જે આસામી તીર્થ ભ્રમણ કરવા ગયો હોય તે આસામી ઘેર આવી જુએ છે તો ઘેર રહેલો માણસ મૃત્યુમુખે પડયો હોય છે. બ્રહ્માનંદ સર્વત્ર સર્વકાળે અને સર્વ પાત્રમાં રહેલ છે, ચિત્તની એકાગ્રતા હોય તો હરકેાઈ સ્થાને જવાથી બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ તીર્થની સેવા કરવાથી મન વિશુદ્ધ થાય છે અષ્ટ પૂર્વ પ્રદેશ જેવાથી હૃદયમાં કેતુહલ વધે છે. સજનના સમાગમથી પુણ્ય કાર્યમાં પ્રવૃતિ થાય છે. એથી કોના પક્ષમાં તીર્થ ભ્રમણ કરવું રૂચિજનક ન હોય ? અવશ્ય હાલ હું અહીંથી ચાલ્યો જાઉં તેથી ગુરૂ સાથે વિચ્છેદ થાય. પણ, પ્રભુ એ વિષયમાં મારો મતભેદ છે, જે આસામી વિદેશમાં ગયેલો છતાં ગુરૂને હૃદયમાં ધારણું કરે છે. તે ખરેખર ગુરૂની 5 સેજ રહેલો છે. અને જે આસામી ભકિતહિન ભાવે ગુરૂની પાસે રહે છે તે ગુરૂની પાસે ન સમજવો. પરંતુ દુર સમજવો. જુદાં જુદાં તીર્થના દર્શનમાં જુદી જુદી જાતના સાધુની મિત્રતા થાય અને તેઓની સાથે પરમાર્થ વિષયક વ તચિત થાતાં બુદ્ધિ પરિપકવ થાય છે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy