SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ - પધપાદ તરફ ઉપદેશ, અનુમતિ આપ ! " શંકર પદ્મપાદનાં વચનો સાંભળી અત્યંત નેહસાથે બોલવા લાગ્યા. " વત્સરાપાદ ! ગુરૂની પાસે રહેવાથીજ તીર્થ દર્શન લાભ મળે છે, તીર્થ પર્યટનનો ઉદ્દેશ ચિત્ત શુદ્ધિ છે. ગુરૂના ઉપદેશથી શું તીર્થ શુદ્ધિ થાતી નથી ? વળી જે ! સન્યાસ બે પ્રકારનો છે. પહેલા વિસંન્યાસ અને બીજે વિવિકિપા સંન્યાસ. તત્વજ્ઞાનીની માયા નિવૃત્ત થવાથી જીવન્મુકિતના સુખ સારૂ જે સંન્યાસ ગ્રહણ થાય તેનું નામ વિઠસંન્યાસ. અને જેઓ તત્વ જાણવા ઈચછનાર છે, તેઓનું તામાર " વાકયની અર્થ ચિંતા અને તંત્ર અને વમ પદનું એક પણું આશ્રય કરી જે સમજઈ રહેવાય તેનું નામ :વિવિષિા સંન્યાસ. તમે સહુ વિવિદિષા સંન્યાસી છે. તું તીર્થ મણ કસ્વા જઈશ ત્યારે વિવિદિષા સન્યાસમાં વ્યાઘાત થાશે. શાથી કે દેશ ભ્રમણમાં અનેક કષ્ટ હોય છે. કોઇક ઠેકાણે જલ ભળે, કોઈક ઠેકાણે જલ ન મળે. જલ ન મળવાથી પ્રભાત કાળે રમાન થાય નહિ જેથી શાસ્ત્રમાં શાચાચારને જેવી રીતનો વિધિ છે તેવી રીતનો વિધિ ન પળાતાં વિધિનો વ્યતિક્રમ થાય, અને તેથી મનો માલિન્ય પેદા થાય, અને સમાધિમાં ભંગ આવી પડે. ધાતુર થવાથી કેક સ્થાનેથી ઉત્તમ અને વિશુદ્ધ આહાર મળે, અને કોઈક સ્થાનેથી ન મળે. એવી રીતે ન મળવાથી જવર અતિસાર વીગેરે રોગે દેહ ઉપર હુમલો કરે અને તેઓના હુમલામાંથી મુકત થવાની સંભાવના ન રહે જેથી શ્રવણ મનન વિગેરેમાં વ્યાઘાત આવી પડે. વળી એવા કેટલાક સ્થાન હોય છે કે જ્યાં રહી શકાયજ નહિ. શરીરમાં અસામર્થ્ય થાય, ત્યારે અહીં તહીં માત્ર ભીક્ષા માટે જઈ શકાય નહિ. તીર્થ ભ્રમણમાં આટલા બધા કલેશ પડે છે. ત્યારે ખસુસ કરી તીર્થ ભ્રમણ કરવાનું પ્રયોજન શું છે ? ગુરૂદેવની વાત સાંભળી પડાપદે વિનીતભાવે કહ્યું " અગર જો કે ગુરૂના વાક્ય ઉપર સામો ઉત્તર ન દેવો જોઈએ, પણ મારે મારો માનસિક ભાવ ગુરૂદેવના શરણે નિવેદન કરવો જ જોઈએ. ગુરૂદેવે જે જે હકીકત કહી તે તે સાચી છે. ગુસેવા કરવાથી તીર્થ દર્શનનો લાભ થઈ શકે. પણ સર્વદા સઘળા ઠેકાણે જોવામાં આવે છે કે જેઓ સંન્યાસ ગ્રહણ. કરે તેઓ સધળા તીર્થ પર્યટન કરી શકે છે, તીર્થ પર્યટનમાં અગર જો કે અનેક સ્થળે જળ મળી શકતું નથી. વિશુદ્ધ આહાર મળી શકતો નથી, વાંકાં ચુકાં માર્ગમાં ચાલવું પડે છે. તે શિય જુદી જુદી જાતનાં કષ્ટ આવી પડે છે, તે પણ હું એ સઘળું. હ્ય કરવા રિ છું. શાથી કે તીર્થ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy