SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્ય લોકોએ કરેલે ગ્રંથપ્રચાર. 87 કે ત્યાર પછી સુરેશ્વરે, શંકરને લય કરી કહ્યું “પ્રભુ મારી સુખ્યાતિ થાશે, મને અર્થ લાભ મળશે, લોક મારી અર્ચના કરશે, એવા લેબથી મેં પ્રબંધની રચના કરી નથી. કેવળ ગુરૂની આજ્ઞાનું ઉલંઘન ન થાય એ હેતુએ ગ્રંથ પ્રણયનમાં હું પ્રયત્નશીલ થયો છું; શાથી કે ગુરૂની આજ્ઞા ન માનવામાં આવે તો ગુરૂ શિષ્ય ભ વ રહે નહિ. હું પહેલાં ગૃહસ્થાશ્રમ પાળતો હતો તેને માટે હું અપરાધી નથી. પહેલાં . સઘળાં બાળક હોય છે. પછી તેઓ યુવાવસ્થામાં પગલું મુકે છે. " ત્યારપછી બાલ્યકાળ તેને આકમણું કરતો નથી, અને વળી જ્યારે માણ વૃદ્ધિ થાય છે. ત્યારે વાવેને તેને સ્પર્શ ક તું નથી. જે માણસ ગમત કરે છે તે માણસ, પૂર્વથાન પરિત્યાગજ કરે છે. હું ગૃહસ્થાશ્રમ પાળતો હતો તેથી અવિશ્વાસને પાત્ર નથી. હું આ જગતમાં એવો કોઈ આસામી જેતે નથી કે તે કોઈ સમયે પણ ગૃહસ્થ ન હોય. એમ વારતવિક રીતે જોઈએ તે મનજ બઘ અને મોક્ષનું કારણ છે. વિશુદ્ધ ગૃહી હોય અથવા વિશુદ્ધ સન્યાસી હોય એ બનેમાં હું તો કાંઈ ન્યૂનપણું અને અધિકપણું જેતે નથી. અને આપના બીજા શિષ્યો બોલે છે કે “ચતુર્થ આશ્રમ વેદ સિદ્ધ નથી' એવોજ મંડન મિશ્રનો સિદ્ધાંત છે એ વાત ઠીક અને વાજબી નથી. સન્યાસ વેદ સિદ્ધ ન હોય તે બાપની સાથે વિવાદમાં પ્રવૃત્ત થઈ, વિવાદમાં હારું તે સન્યાસ આશ્રમ અવલંબન કરું. એવી પ્રતિજ્ઞા હું શા નિમિતે કરું ? અને લંડનમિત્રના ઘરમાં ભિક્ષુકના પ્રવેશ નિષેધ હતા, એવો જનરવ આપે સાંભળ્યો છે તેના ઉત્તરમાં કહું છું કે ગુરૂદેવજ એક વાર આ દીન સેવકના ઘેર ભીક્ષા કરવા આવ્યા હતા. તેમાં આવવામાં કોઈએ આપને નિષેધ કર્યો હતો? લોક કહે તેમાં મારે શું કરવું? લોકના મુખે આચ્છાદન બંધાઈ શકાય? વળી આપના શિષ્યો બોલે છે કે મંડનમિત્રે બુદ્ધિપૂર્વક સન્યાસ લીધો નથી તેના ઉત્તરમાં મારું એજ કર્તવ્ય છે. કે “હું પૂર્વથી તૈયાર હતા. પછી તવચ નામાં આત્મતત્વ મેળવી સંસાર ઉપર વિરાગ થઈ જવાથી સન્યાસને આશ્ચમ મેં પકડ છે. આમ નિશ્ચય જાણી લેજો કે વાદમાં હું પરાસ્ત થયો નથી. એ સન્યાસ ગ્રહણ કર્યું નથી. કારણકે તત્વનો નિર્ણય કરવા સારૂ વાદ કર્યો હતો એ શિવાય વાદ કરવાનું બીજું કાંઈ પ્રયોજન નહતું. મેં પ નિયયિકોના ગ્રંથનું અવલંબન કરી કેટલાક પ્રબંધ રચ્યા છે. હવે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036418
Book TitleBhagwan Shankaracharya Charit
Original Sutra AuthorN/A
AuthorSavailal Chhotamlal Vora
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year
Total Pages227
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size198 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy