SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 98 અયોગ્ય છે. કવિના હૃદયમાં કષ્ટ અને પરિતાપનો જળનિધિ ભર્યો હોવાનું તેઓ કહે છે. “કાવ્યનો સૌથી ઉત્તમ ભાગ બહેનનાં સંભારણાંનો છે” એમ સુંદરમે નોંધ્યું છે. સુધારકયુગમાં મુંબઈમાં 1874 માં થયેલા હુલ્લડનાં બે કાવ્યો મળી રહે છે. જેમાં રામશંકર ગૌરીશંકરનું “દરગાહી દંગો માં કવિએ સબોધપરાયણતાના કાવ્યકાળમાં ઘણી હિંમત બતાવ્યાનું સુંદરમે નોધ્યું છે. તેઓ કહે છે, “સરસ ખુમારી જ આ કાવ્યને તે યુગની કવિતામાં અનોખું સ્થાન અપાવે છે. “પ્રેમ અને મૃત્યુ અહીં જુદી રીતે સંકળાયેલાં છે. ફાંસીએ ચડતાં આ પાત્રોને પ્રણયનું અને જીવનનું સાર્થક્ય દેખાય છે. બંને જણ ગર્વથી સંતોષ સાથે મૃત્યુ પામે છે. તે કહે છે - નથી ભોગવ્યો, ને નથી ભોગવવાના જવું જોડ સાથે, કહો શોક શાનો” 93 (અ). પ્રેમી ખાતર ધણીને મારી નાખનાર બાઈ તથા એના પ્રેમીને ફાંસી અપાયાની વાત અહીં છે. પ્રેમ ખાતર બંનેએ મૃત્યુ સ્વીકાર્યાની ખુમારી અહીં છે. જ સુધારકયુગ - “અજંલિકાવ્યો દલપતરામે “અંગ્રેજી રાજ્ય પ્રકરણ માં ગર્વનર જનરલ લૉર્ડ મેયોના તા. 8 ફેબ્રુઆરી ૧૮૭રમાં થયેલા મૃત્યુસંદર્ભે હિમાભાઈ ઇન્સ્ટીટ્યુટમાં ૧૫મી ફેબ્રુઆરીએ ભરાયેલી સભા વખતે કવિતા કરી. જેમાં “લોર્ડ મેયોની ગુણસ્તુતિ કરવામાં આવી છે. શુભ કામ કરનાર આ ઉપકારી પુરુષની સદ્ગતિ માટે કવિ અંતે પ્રાર્થના કરે છે. - “તે દૂર થયો દુરકરણથી, કરું શી કથા તે ક્લેશની” 93 (બ) (દલપતકાવ્ય' ભા. 2 પાનું. 16) - કવિ નર્મદ નર્મકવિતા ભાગ-૨ માં આલ્બર્ટના અવસાન સંદર્ભે અંજલિ આપતાં આલ્બર્ટને “દેશના દીવા' તરીકે બિરદાવ્યા છે. જો કે આ કાવ્ય ક્યાંક નરી સામાન્યતામાં સરી પડે છે. કવિ મલબારીએ પણ આલ્બર્ટને અંજલિ આપી છે. (“નીતિસંબંધી કાવ્યો'). જેમાં આલ્બર્ટની ગુણપ્રશસ્તિ ગાઈ છે, આલ્બર્ટને દેશદીપક તરીકે કવિએ ઓળખાવ્યા છે. એમના અવસાને સમગ્ર પ્રજાને પરિતાપ થયાનું તેઓએ નોંધ્યું છે. “સુરત મિશન સ્કૂલના પાદરી ડિક્સનનું મૃત્યુ' કાવ્યમાં મોતને દયાના ખૂની, અદેખા દુષ્ટ દુશ્મન તરીકે મલબારી વર્ણવે છે. કવિ કહે છે ડિકસનની કદર બધાએ કરી, પણ કાળે ન કરી તો “સ્વ. રુસ્તમજી જમશેદજી જીજીભાઈ' કાવ્યમાં રુસ્તમજીને સૂર્ય તરીકે કલ્પી દિવ્ય દીપક તરીકે પણ બિરદાવ્યા છે. કવિ કહે છે, એને ઉપાડી લેતાં કાળને જરાય શરમ ન આવી? જમડાં આવું કાર્ય કરી હસતા હોય એવું કવિને લાગે છે. “લૉર્ડ મેયોની કતલ” કાવ્યમાં “હાકમ ઉડ્યો રે આપણો' થી શરૂ કરી લૉર્ડ મેયોની ગુણપ્રશસ્તિ કવિએ ગાઈ છે. મેયોનું મૃત્યુ કુદરતી ન હોવાથી એ કલંકનું દુઃખ કવિને વિશેષ છે. “સ્વ. ભાઉદાજી' ના મૃત્યુ માટે લખાયેલા કાવ્યમાં ભાઉદાજીની ગુણપ્રશસ્તિ કરી કાળને ક્રૂર અને એના, ભાઉદાજીને લઈ જવાના કામને કવિ ધિક્કારપાત્ર ગણાવે છે.. સુધારકયુગ - સામાજિક રીતરિવાજ અને મૃત્યુ સ્વદેશવાત્સલ્ય કળાકૌશલ' નામના બીજા પ્રકરણમાં “ગરુડપુરાણઅંગ” માં કવિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy