SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 97 મરણ આ ત્રણેય એમનાં ધન્ય થયાનું કવિ કહે છે.” “મહાસુખી તુજ મરણ પણ મણાયો' વિલ્સનનું મૃત્યુ એક પરમ મંગલ મહોત્સવ બની રહ્યું. સુધારકયુગ - પ્રેમ અને મૃત્યુ ' દલપતરામે “ફોર્બસવિરહ માં કિન્લોક ફોર્બસ' સાથેના સ્નેહસ્મરણરૂપે, અંતઃકરણના નેહની પ્રતીતિરૂપે પોતાના ઉદ્દગારો વ્યક્ત કર્યા છે. પ્રીત અંતે સ્વજન જતાં વ્યથા અને આઘાત જ આપે છે. એ વાત તેઓએ અહીં વ્યક્ત કરી છે. “મહારોગની રીત પ્રીત વિશે પ્રત્યક્ષ છે. માટે કોઈ ન કરશો પ્રીત, પ્રીત કરે દુઃખ પ્રાણને 90 | ('ફોર્બસવિરહ' પાનું. 32) “મલબારીનાં કાવ્યરત્નો” માં “સ્નેહસંબંધી માં એક ઘાયલ હૃદયની સ્ત્રીનો વિલાપ અને અંત સ્વજન પ્રિયજનના મૃત્યુને કારણે આઘાત પામેલી સ્ત્રીનો હૃદયદ્રાવક વિલાપ સ્વજન પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે. જે પ્રેમ આમ તો અંતે કરણમાં પર્યવસાન પામે છે. એજ રીતે “પત્નીના મરણથી એક યુવાન પતિનો વિલાપ' કાવ્યમાં પણ સદ્ગત પત્નીને જીવાડવાની આજીજી કરતો કાવ્યનાયક પોતાને પણ વિરહત્રાસ સહન ન થતાં બળતી ચેહમાં હોમી દેવા વિનવે છે. “પતિના મરણથી એક યુવાન પત્નીનો વિલાપ'માં સ્વજનના મૃત્યુએ બેબાકળી બનેલી નારીની વ્યથા, “ગરમ અંગારા, આંસુધારા નેવા પેરે જાય.” - પ્રેમની ઉત્કટતાનું કરુણમાં થતું પર્યવસાન છે. વિલ્સનવિરહ' માં કવિ મલબારીએ વિલ્સનના મૃત્યુથી અત્યંત ખિન્ન થઈ આંસુધારે ભીંજાતાં કાવ્ય રચ્યું. જેમાં વિલ્સન અને એની પત્નીના દાંપત્યપ્રેમનું માંગલ્ય પણ વણી લીધું છે. જેમાં પ્રેમ અને મૃત્યુને કવિએ સાંકળ્યા છે. તેથીજ સુંદરમ્ નોંધે છે, “વિલ્સનના જીવન તથા તેના મરણનું વર્ણન સાધારણ છે. પણ વિલ્સનના જીવનનો એક કરુણ પ્રસંગ “નાયકનાં પત્નીનું મૃત્યુ ને કવિ કાવ્યના એક ઉત્તમ અંગ તરીકે ગણાવે છે.” 91 આગળ તેઓ નોંધે છે - “કાવ્યની એકાગ્રતા નાયકના મૃત્યુમાં નહિ પણ પત્નીના મૃત્યુથી નાયકને થતી વેદનામાં સધાય છે.” 2 “મનનું સ્વર્ગવાસી સ્ત્રીમાં ભળવું' કાવ્યમાં મરનાર અંત સુધી પોતાની પ્રિયાને ભૂલ્યા નથી એ બતાવાયું છે. પ્રેમની પરાકાષ્ઠા સદ્દગત પત્નીનો પત્ર આવ્યાનો ભાસ કરાવે છે. - મધુવછરામ બળવછરામે “સુવાસિકા' (1888) કાવ્યમાં “પ્રેમ અને મૃત્યુ' ના તત્ત્વજ્ઞાનને એક સાથે મૂક્યું છે. પ્રેમ અને વેદના” તથા “પ્રેમ અને મૃત્યુ નો સંબંધ અહીં નિરુપાયો છે. જેમાં પ્રેમદર્દની તડપનવાળી બીજે પરણાવાઈ દીધેલી કન્યા “સુવાસિકા'નું મૃત્યુ થાય છે. પરિણામે એના પ્રેમી કુસુમ' ની અકથ્ય હૃદયવ્યથાનો નિર્દેશ થયો છે. છોટાલાલ સેવકરામે એમની બહેન લીલાવતીના મૃત્યુ પ્રસંગે વર્ણવેલી વ્યથા પણ અંતે ભાઈબહેનના પ્રેમનું જ પ્રતીક છે. જેમાં બહેનના વહાલભર્યા વચનો હવે સાંભળવા નહિ મળે. એ વિચારે શોકજ્વાળાનો અનુભવ કવિ કરે છે. કવિને સદૂગત બહેનની છબી અનેકરૂપે દેખાય છે. જો ભેખ ધરવાથી શોકનું સમાધાન થતું હોય તો, વેરાન વનમાં વાસ કરવા પણ કવિ તૈયાર થાય છે. કવિ આંસુના નીરને અવનવું કહે છે. શોકનાં એ નીર P.P.AC. Gunratnasun M.S. Jun Gun Aaradnak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy