________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 96 શુક્લ નથુરામ સુંદરજીએ પણ પોરબંદરના રાણા ભાવસિંહજીના મૃત્યુનો શોક ગાતા ‘ભાવવિરહબાવની' માં કાળને ફૂર લૂંટારા તરીકે વર્ણવ્યો છે. આ કવિ કાળને “માર્જર' કહે છે. “ગયો કાળ માર્જર હરી રાંક જનોનો રોટલો 84 (‘ભાવવિરહબાવની' પાનું 11) તો નથુરામના શિષ્ય બારોટ કેશવલાલ શ્યામજીએ રાણા ભાવસિંહ માટે રચેલી ભાવવિહષોડશીમાં કાળને “કબાડી સાથે સરખાવ્યો છે. “ઝાઝાં સુખનું ઝાડની છેવું કાળ કબાડીએ” (2 (‘ભાવવિરહષોડશી' પાનું 28) કવિ આનંદજી લવજી લાખાણીએ પ્રસિદ્ધ ઔષધશાસ્ત્રી ઝંડુ ભટ્ટના અવસાન નિમિત્તે લખેલા “ઝંડવિરહ' કાવ્યમાં કાળને ઠપકો આપતાં લખ્યું છે. “ફટય ભૂંડા કાળ વિકરાળ કેમ વેરી થયો? આખરે આવીને કામો કર્યો અદેખાઈનો” 84 | (‘ઝંડવિરહ' પાનું 10) કાળની ક્રૂરતાનું વર્ણન કરતાં કવિ કહે છે. “પરમારથનો પંથી વિદાર્યો રોગીનું રત્ન જ રોળ્યું છે સોરઠનો શણગાર સંહાર્યો હાલ્યો હાલારી હીરોજી.” 87 (ઝંડવિરહ' પાનું. ૧રા નઠારા કાળને કવિ લાખાણી ક્યારેક બાળક સાથે પણ સરખાવે છે. ને એવા સાવ નાના બાળને આમ કોઈને મૃત્યુ પમાડવાનો અધિકાર વિશ્વભરે કેમ આપ્યો હશે એ સમજાતું નથી. કાળને ઉદ્દેશીને કવિ કહે છે. “વિક્વંભરને આ વખતે શું સુઝીયું કે આપ્યો તે અર્જકને અધિકાર 88 ' (‘ઝંડવિરહ' પાનું 15) સુધારકયુગ - અને મૃત્યુ મુક્તિદાતા - મંગલ રૂપે નર્મદના અતિપ્રસિદ્ધ શોકસંદેશ” (નર્મકવિતા' ભા. 2) માં કવિએ એમના મૃત્યુસંબંધે શોક ન કરવા કહ્યું છે. કારણ કવિ મૃત્યુને મુક્તિદાતા ગણાવે છે. મૃત્યુ પામતાં જીવનાં દુઃખ દૂર થાય છે. જીવ સુખી બને છે. કવિ કહે છે. મૂઓ હું તમે પણ વળિ મરશો મુક્ત થશો જગતમથી” 89 (‘નર્મકવિતા' 2. પાનું. 97) કવિ મલબારીએ “વિલ્સનવિરહ માં મિત્ર વિલ્સનના મૃત્યુ નિમિત્તે રજૂ કરેલા ચિંતનમાં લખ્યું છે. “સમી સાંજ ચાર વાગ્યે કાળે ત્રણ પેટે જીવતદાન માગ્યું, જન્મ, જીવન અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust