________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 94 દીવો ઘેર ગયો ખૂટે તેલ ન પડી રહી વાટ રે....” (નર્મકવિતા ભાગ-૨ પાનું. 657 “લાલશંકરભાએ પડવું') પિતાના મૃત્યુ પછી એમની ચિતા જોયા પછી કવિના ચિત્તમા પડેલા ઘેરા પ્રત્યાઘાતો અહીં વર્ણવેલા છે. (નર્મકવિતા ભા. 2 પાનું 658) ભાઈ ભડ ભડ ચિતા શબ થાય, ખોખું એ રહે નહીં પાસ રે, દેહના તત્ત્વ ભળે તત્ત્વમાંહિ, જુઠી જગની આશ રે રાતે ઝાઝો, ટાઢો, મુંગો શુદ્ધ, પસરયો વાયુ વાય રે એવા એકાંતમાં સંસ્કાર દહન ક્રિયા થાય રે (લાલશંકર-ચિતા) લીલો કાળો માણે દેખાય તે તો હાડ ચામનો, ફૂલ ઉગે ખીલે ચીમળાય | તેવું જ દેહ ફૂલ આ અરે, ચણ ચણ કરતું બળી તે જાય, કહેવાય એ હતું ફૂલ રે રાખ નાંખી દીધી પાણી માંહ્ય, દાટી કકડી ખોપરી ઘટસ્ફોટ કરી કર્યું સ્નાન, લાલશંકર આવી ગયા જ, જગતનીમ એટલો નર્મદ ઘેર વળ્યો મૂકી શ્વાસ, કરે શોક કેટલો ? 7 અગ્નિસંસ્કાર ક્રિયા, સ્મશાનની એકલતા, ભીષણ વાતાવરણ, ચણ ચણ બળતી ચિતા, પાણીમાં નંખાતી રાખ, પછી કરવામાં આવતું સ્નાન વગેરેની વિગતો દશ્યરૂપે જાણે વ્યક્ત થઈ છે. કવિ મલબારીએ “નીતિસંબંધી કાવ્યોમાં મોત કયા કયા સ્વરૂપે એનું પોત પ્રકાશે એની વાત કરી છે. “મોત' તો સાર્વત્રિક છે. જમીનમાં કર વાસ, તાપ પડે ટળવળશે, જળમાં જઈ કર વાસ, મગર થઈ મોત નીકળશે આકાશે કર વાસ, વાયુમાં વાયુ મળશે રણમાં જઈ કર વાસ, ધૂળશું માટીમાં ભળશે” % (‘નીતિસંબંધી કાવ્યો' પાનું. 104) છોટારામ સેવકરામે તેની લાડકી બહેન લીલાવતીના મૃત્યુ સંદર્ભે મૃત્યુના સ્વરૂપની સરસ કલ્પના કરી છે. મૃત્યુને શાસકરૂપે વર્ણવ્યું છે. સ્વજન મૃત્યુથી હલી ઊઠેલા કવિનો ક્યારેક આક્રોશ ચિત્કાર બની ઊઠે છે. . ‘રૂપ રંગ તે નવ લહે કોમળવંત કઠોર મૃત્યુ મન સરખાં અકળ કયાં માનવી ક્યાં ઢોર ? - મૃત્યુ - કાપણી કરતું તે ફરે જંપ નહિ દિનરાત’ 79 કવિ છોટારામ કહે છે “મૃત્યુમાં રવિનું તેજ નથી છતાં એ ત્રણે લોકને તપાવે છે. રૂપ, રંગ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust