SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 93 પ્રસરે છે. મૃત્યુચિંતન રજૂ કરતાં કવિ કહે છે. “પિંજરમાં પૂરાયેલું પંખી જેમ ઊડી જાય તેમ કાયા પિંજરથી, જીવ ઊડી જાય છે.” 1 ('લીલાવતી વિરહ' પાનું. 42) “દેહ વિના જીવ કેવો? જીવ વિના દેહ કેવો? નામ અને રૂપતણો ભેગાભેગો નાશ છે ? (‘લીલાવતી વિરહ' પાનું. 45) કોઈ કહે જીવ મરે, કોઈ કહે જી કાયા મરે ખરેખરું કોણ મરે ? કોણ તે બતાવે છે? પંચભૂત ભેગાં મળી પૂતળું બન્યું છે આ તો છૂટાં પડી જાય ત્યારે કહે જીવ જાવે છે” 03 (“લીલાવતી વિરહ' પાનું. પ૭) આજના સંદર્ભમાં ક્યારેક આ લાગણીના ઉભરા જેવું પણ લાગે છે. સદ્ગતનો શોક કરનાર માટે કવિ કહે છે. “અરે જીવ શાને માટે શોકમાં ગરક થાય? જેને માટે શોક ધરે, તે તો નથી જાણતા” * (“લીલાવતી વિરહ' પાનું. 71) જેના માટે ખેદ કરીએ છીએ, વિયોગની વ્યથા ધરીએ છીએ, એને તો એની ખબર નથી. તેઓ તો મોહ મૂકીને ગયા છે. મેળાપની આશા તેઓ પ્રમાણતા નથી. કવિ કહે છે, બધું શક્ય છે. પણ એક વાત અશક્ય, ને તે - “જીવ ગયા પછી કોઈ ના જાગ્યું” શેઠ વલ્લભદાસ પોપટે પણ “માહેશ્વરવિરહ માં સરળ ભાષામાં મૃત્યચિંતન રજૂ કર્યું છે. “ચકિત કેમ છો આપ આ પળે અમર તો નથી કોઈ ભૂતળે મરણ પામિયા રંક રાય રે” જ (‘માહેશ્વર વિરહ' પાનું. 15) સુધારકયુગ મૃત્યુનું સ્વરૂપ મૃત્યુ પામેલી વ્યક્તિનું વર્ણન, સ્મશાન અને ચિતા-વર્ણન નર્મકવિતા' ભા. 2 માં નર્મદે એમના પિતા લાલશંકરના મૃત્યુ વિશે લખતાં પિતાની મૃત્યુ બાદની સ્થિતિ તથા સ્મશાનમાં એમની ચિતા વિશે લખ્યું છે, ભાઈ અંતે આ પિંજર જોઉં લાંબુ પડ્યું આમ રે છો ના દૂતા થયા ગુણગ્રામ જોત જોતામાં રે સંવત વીસ ને સુદ પોશ માસ દસેમ અઢી વાગતે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy