________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 92 કવિ ભવાનીશંકર નરસિંહરાવે પણ તેમના “કૃષ્ણવિરહ' કાવ્યમાં મરણની અનિવાર્યતાનો સંદર્ભ ગૂંચ્યો છે. તેઓ કહે છે. “મરણ સર્વને શીર છે. તેનો શોક ન હોય” (“કૃષ્ણવિરહ' પાનું 15) કાશીશંકર મૂળશંકર દવે ‘નર્મદવિરહ' માં માણસનો પીછો કરતા મૃત્યુની અનિવાર્યતા માટે કહે છે. “મરણ નહીં મૂકનાર સાત પાતાળે પૈસો - મરણ નહીં મૂકનાર દેવ ડેરામાં બેસો મરણ નહીં મૂકનાર કાળ છે જીવનો પાજી” " કવિ અહીં કાળને “પાજી' કહે છે. - દલપતરામના અવસાન નિમિત્તે ઉપાધ્યાય નારણજી લક્ષ્મીરામે લખેલા “દલપતવિરહ' નામના શોકકાવ્યમાં પણ મૃત્યુના વર્ચસ્વ વિશે કવિ કહે છે. “જરીક વારમાં મૃત્યુએ ગ્રહ્યો અરર, શીધ્ર ઓ, ક્યાં કવિ ગયો?” (દલપતવિરહ' પાનું 8) તો બીજી બાજુ આજ કવિએ માનવની નિરાધારી અને મૃત્યુનો વિજય ઉલ્લેખ્યો છે. કાવ્યને અંતે દલપતરામના મૃત્યુપ્રસંગને ઈશ્વરાધીન માની માનવની નિરૂપાયતા વ્યક્ત કરી છે. મિ કચ્છ અંજારના લુહાણાના બારોટઅયાચિ કવિ લાધારામ વિશ્રામ રઘુવંશીએ હંસવિરહ માં મૃત્યુની નિશ્ચિતતા “મન વાળવા વિશે' કાવ્યમાં વ્યક્ત કરી છે. “હું તો વારી રે, સુંદર શ્યામ તારા લટકાને' એ રાગમાં મૃત્યુની અનિવાર્યતા કવિએ સારી ગૂંથી છે. “રે ચંચલ થઈ મન ચેત આ જગ જાવાનું” " (પૃ. પર). “શ્રીમંતો એ વાટ સિધાવ્યા લીધી જમે ન લંચ (લાંચ)” (પૃ. 53). “ખાતે ખોજી લીધા ના લક્ષણવંતા લોકો એમ જ હેતુ હંશ, ગયાનો સમજી તજ મન શોક રે” (પૃ. 24). કોઈ પાંચે, પચાશે, શો સાઠે, એંશી કે નેવું એકાણુંએ પણ જાય તો ખરો જ - “જભ્યો જાય'). છોટાલાલ સેવકરામે પોતાની લાડકી બહેન લીલાવતીના મૃત્યુ નિમિત્તે લખેલ “સૌ લાડકી બહેન વિરહ' (1902) નામના શોકકાવ્યમાં બહેનના મૃત્યુસંદર્ભે ગૂઢ પ્રશ્નોની હારમાળા ચિંતનરૂપે વ્યક્ત કરી છે. સ્થૂળના વિનાશની, જીવ તથા એની ગતિની, એનાં સુખદુ:ખની, એક શરીર તજી અન્યમાં એ પ્રવેશ કરે છે? વગેરે પ્રશ્નોની વણઝાર કવિચિત્તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust