SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 91 એનો પછી શોક શો કરવો ? “નવકરશો કોઈ શોક' માં મૃત્યુના વાસ્તવનો નિર્દેશ કરતાં કવિ કહે છે. “જગતનીમ છે, જનનમરણનો. - દઢ હજો હિંમતથી” 0 (પાનું. 97) નર્મકવિતા-૧ કવિ મલબારી, વ્યક્તિનું મરણ થતાં જીવ અને કાયા વચ્ચેના સંવાદની કલ્પના સરળ છતાં કાવ્યમય શૈલીમાં રજૂ કરે છે. વિલ્સનવિરહ' માં વિલ્સનની મૃત્યુ પહેલાંની સ્થિતિનું વર્ણન “ઘડપણની કૂચ' માં કવિ કહે છે. વિલ્સન મોતથી ડરતા ન હતા. વંદરાજ જયારે “મોત નહિ આવે મોડું' એમ કહે છે ત્યારે તેઓ હિંમત હારતા નથી. “મારી યમને લાત ઉડ્યો વિલ્સન સિંહ જેવો” 1 (39) “વિલ્સનવિરહ' “રુદન કરતા મિત્રોને શિખામણ' કાવ્યમાં કવિએ, વિલ્સન એમના મિત્રોને, સ્વજનોને દિલાસો આપતા હોય એવી કલ્પના કરી છે. કવિ મલબારીએ નીતિસંબંધી કાવ્યોમાં પણ મૃત્યચિંતન પ્રગટ કર્યું છે. - “આયખું કરરર ભુસ, બળી ભસ્મ થશે' ની વાત કરતા કવિ “કાલનો ભરોસો નથી માં “કાલ કાળ લઈ આવશે' ના સત્યને પ્રગટ કરે છે. સર્વત્ર ફેલાયેલી યમરાજની આવનું વર્ણન કવિએ “મોત' નામના કાવ્યમાં કર્યું છે. કોઈ પથ્થરના કિલ્લામાં વસે, ને લોઢાનાં દ્વાર વાસી છુપાઈ જાય તો ત્યાંય પેલું સંતાઈ રહેલું મોત સૌને જોયા કરતું હોય છે. મરણથી બીનારને મૃત્યુનું વાસ્તવ દર્શન કરાવતાં એને “મૂરખ' ગણાવે છે. (“મરવાથી શું બિહ?”)” જીવતું મરશે, મૂવું જીવશે. સૃષ્ટિ નિયમનીતિ એકર (110) માં જન્મમરણ-ચક્રની વાત કવિ કરે છે. કાયાના અસ્તિત્વને જ રોગ કહેનાર આ કવિ એના એક માત્ર ઉપાય તરીકે “મરણ ને ગણાવે છે. તે “કાયા એજ કહું રોગ કારમો મરણ જ તેનો ઉપાય” (પૃ. 112 “નીતિસંબંધી કાવ્યો) “સંસારની વિચિત્રતા' વિભાગમાં જીવ અને જમ વચ્ચેનું યુદ્ધ' કાવ્યમાં માથા પર કાળને ધારણ કરીને જ જન્મતા માનવની વાત સનાતન સત્યનું ઉચ્ચારણ કરે છે. કવિ કહે છે. “સૌનો શ્વાસ યમ પાસે છે.” (પૃ. 205) મોત મુખ સામે આવી દુરકતું હોવાની વાત કવિ કહે છે. “જીવ ફેરા ફરે, સ્થિર તે ના ઠરે' માં પુનરપિ જનનં, પુનરપિ મરવું નો સૂર સંભળાય છે. “જમ સાથે જતી વેળા જીવની કાયાને ધમકી' કાવ્યમાં કવિ મલબારી કાયાના મોહમાં ફસાઈ યમરાજાને ભૂલી ગયાનો જીવ એકરાર કરતો બતાવે છે અને કાયા જમને જીવ સોંપવા તૈયાર થાય છે. તેથી કાયાને ઠપકો આપવામાં આવ્યો છે. કાયાને કાળઝાપટથી ચેતવવાનું કહેવામાં આવ્યું છે. જેમ સિંહ ઓથે રહી ઓચિંતો દેખાય તેમ મોત પૂછ્યા વિના પાછળથી ખાવા ધાય છે.” t" | (‘પ્રભુની ભક્તિ પૃ. 215) પ્રભુપ્રાર્થના' માં અંતસમયે યમ સંગાથે ધીરજથી બાથ ભીડવાનું સૂચન કરવામાં આવ્યું છે. જમથી ડર્યા વિના હરિમાં શમી જવાનું પણ કહેવાયું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy