SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 90 સુધારકયુગ - અને મૃત્યચિંતન મૃત્યુ એક વાસ્તવિકતા તથા મૃત્યુની ભયાનક્તા કવિ દલપતરામ “મોતવિશે કાવ્યમાં મોતની નિશ્ચિતતા બતાવતાં કહે છે મંદિર, માળિયા, ગોખ, મેડી, બાગ બગીચા, પેઢી, તજી સ્મશાને સુકા કાષ્ટ્રમાં સૌએ એક દિવસ વાસ કરવાનો છે. ને એ મોત કોઈ જાતના કાગળ કે સંદેશા વિના એકદમ આવશે. ખેદ કરીએ કે ન કરીએ મોત કોઈનેય મેલતું નથી એ વાત કવિ ભારપૂર્વક વ્યક્ત કરે છે. ખાતા ભોજન ભાવતાં રાતા માતા રૂપ જાતા જોયા જમપુર, ભાતા વિણ બહુ ભૂપ” પs (‘મોત વિશે પાનું 86, દ. કા. ભા. 1) “સ્વદેશવાત્સલ્યકળા કૌશલ્ય' નામના બીજા પ્રકરણમાં ગરુડપુરાણ અંગ' માં કવિ મૃત્યુની વાસ્તવિક્તાનો નિર્દેશ કરે છે. જન્મે ત્યાંથી જાણવું એક દિવસ મરનાર રહ્યા ન રાજા રંક કો, શોધિ જુઓ સંસાર” પર (દ. કા. ભા. 2 પ્રકરણ 2 પાનું 8) આ જ કાવ્યમાં જમદૂતનું વર્ણન કરતાં કવિ જમદૂતની ભયંકર ભ્રકૂટિ, મુસળ જેવા દાંતનો નિર્દેશ કરી જણાવે છે કે એને જોતાં જ જીવને તરત ત્રાસ ઉપજે છે. નેવું હજાર જોજન દક્ષિણ દિશામાં જમપુરીનો રસ્તો કપ્યો છે. જ્યાં પહોંચતાં ત્રણસોસાઠ દિવસ થાય. “આ દુનિયામાં કોઈ રહેવાનું નથી વિષે' કાવ્યમાં વિક્રમ રાજાભોજ તથા બીજા અનેક વીરોનાં મૃત્યુનો નિર્દેશ છે. કવિ કહે છે સાથે કશું નવટાંક પણ નહિ આવે. મૃત્યુ કોઈનેય છોડતું નથી. એમ કહી કવિ મૃત્યુની સર્વોપરિતાનો ઉલ્લેખ કરે છે. કવિ નર્મદ “નર્મકવિતા' ભાગ-૧ ના વિધવાઘેહ માં મૃત્યુ વિશેનું ચિંતન રજૂ કરતાં કહે છે. નવમાસ ગંદા ઉદરમાં પસાર કર્યા પછી પામર જીવ, જન્મથી મોત લગી જ્ઞાનપ્રકાશ જોઈ શકતો નથી. ને સતત ભવપાશમાં બંધાતો રહે છે, એ વાત પણ કરી છે. મૃત્યુ પાછળની રોકકળને તેઓ નિરર્થક ગણાવે છે, એક સ્થળે નર્મદ મૃત્યુ પામેલી વ્યક્તિનું વેધક નિરુપણ કર્યું છે. “ફાટિ આંખ ને હેડે ફીણ બહુ દાંતો તો બીડલા કુવા પેટમાં, હાડ જણાતા શી આ હારી વેલા” (“નર્મકવિતા' ભાગ-ર પાનું 697) નીતિસંબંધી' કાવ્યમાં કવિ મૃતક માટે કલ્પાંત કરનારને સ્વાર્થી ગણાવે છે. મૃત્યુની અનિવાર્યતાનો નિર્દેશ કરતાં કવિ કહે છે. “સાંજ પડે ને વાહા ફૂલ કો ખીલે બિડાએ રે દરેક ઘટઘટ નાશ જોએ જગ આ ઘટમાળ નાણે રે” પ૯ (નીતિસંબંધી નર્મકવિતા. ભાગ. 2 પાનું. 694) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy