________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 89 તનડું તપાયું તાપમાં દિલડું દુઃખમાં દિલગીર કરૂણા વરસાવી વિશ્વમાં આમ કરવું નો'તું કરુણેશ” પ૨ (‘ઝંડવિરહ' 19) પારસી કવિ મનસુખ મંચરજી કાવસજી શા-પુરજીએ “ગંજનાહ' નામની કૃતિ રચી છે. એમાં મૂકેલો સોહરાબ અને રૂસ્તમના શાહનામામાંનો પ્રસંગ, સુંદરમ્ કાવ્ય-ગુણવાળો ગણાવે છે. રસ અને આવેગ છૂપા રહેતાં નથી. ? (અ. ક. સુ. પાનું 134) (“ગંજનાહ' પૃષ્ઠ-૨૫) ના કરણને કવિ સુંદરમે પોતાના પુસ્તકમાં નોંધ્યો છે. હાયેરે.... એ બેટા, હાયેરે સોહરાબ હાયેરે.... એ માએના ખુદ મનની મુરાદ હાયેરે.... દીકરા દેલાવર દલેર હાયેરે.... લડાઈના મેદાનના શેર, એ સોરાબ સગુણી અને દીકરા સભાગ એ કેરઆણીની તોખમની રોશન ચેરાગ એ માએની હઈ આતી ને ખુશીના દમ તું વગર કોણ પાસે મુજ દુઃખની ગમ એ “સમનગાન' ના સુબા એ સુરાસુગન તું વગર થઈ મારી સુરારું જંદગી જબુન 54 સુંદરમે બીજા અગત્યના કવિ જાંબુલી રૂશતમના “શાધારણકવિતા' માના એક સુંદર કાવ્યની કરુણ પંક્તિઓ (પુત્રમૃત્યુ અંગેની) “અર્વાચીન કવિતા' માં નોંધી છે જે કવિના દર્દને બહુ કળામય રીતે રજૂ કરે છે. ‘રે હશતો ને રમતો તું આએ તે શું ? રે નાહશતો ને ભાગતો તું ગએઓ તે શું ? એક દિવસમાં શું જોઈ દુનિયાની મજાહ શું જોઈ તે નીતિને શું જોઈ લજા ? રે પોતાની ઉમેદના ફૂલવંત જહાડ એકાએક શું આવી રે જેમની ધાડ' 25 ‘સુધારકયુગની ગુજરાતી ભાષા હજુ વિકાસની દિશામાં પ્રથમ પગલું હતી. તેથી ભાષાકીય અણીશુદ્ધતાનો આગ્રહ આ યુગના સર્જકો પાસે રાખવો એ વધારે પડતું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust