________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 88 “મળવા માટે આવો મલપતા ઓલવો અંતરદાઝ 7 (પૃ. 33) અશ્રુધાર થંભતી નથી. કવિ કહે છે. આંખો અમારી ઓડે ગઈ રે ત્યાંય આંસૂની ધાર' 8 (પૃ. 34) ભાવવાહિતા હૃદયસ્પર્શી છે. માહેશ્વરે જાણે મૃત્યુ સામેથી માગી લીધું હોય એમ લાગે છે. કવિને આખું ગામ સ્મશાન જેવું લાગે છે. માહેશ્વરનો સ્નેહ વિસરી શકાતો નથી. ક્યાંક ક્યાંક થોડા ભાવ સભર ચમકાર જોવા મળે છે. ઓથ અમારી આજ ગઈ રે લીલા - વિરહ વશંભો થાય મન અમારે માળવો તુટ્યો કીધો કાળો કેર 9 (પૃ. 41) કવિના ચિત્તમાં ઝડ ઝડ જ્વાળા ઊઠે છે. ભારે ભયંકર ભેખ ધરીને રૂએ નિત્ય નિશાળ” કવિ કહે છે, “પ્રીત પ્રમાણે પીડા ને સ્નેહ પ્રમાણે શોક થવાનો છે (પૃ. 41) ને “આખર સઘળું ફોક' કહી જગત, જીવનની નિસારતાનો નિર્દેશ કરી માહેશ્વરની યાદ સાથે બહુ બળતી છાતીની વ્યથાની અભિવ્યક્તિ સાથે કાવ્ય પૂરું કરે છે. શેઠ વલ્લભદાસ પોપટને કવિ સુંદરમ્ એ ગાળાના એક સ્વતંત્ર વિચારના ઉત્સાહી અને જોશીલા કવિ તરીકે ઓળખાવે છે. કવિ આનંદજી લવજી લાખાણીએ ઝંડુ ભટ્ટજીને શ્રદ્ધાંજલિ આપતાં “ઝંડવિરહ કાવ્યની રચના કરી છે. જેનું અર્પણ પણ તેઓએ સદ્ગત ઝંડુ ભટ્ટજીને જ કર્યું છે. દેશી ઔષધિઓથી અવનવી સુખપ્રદ શોધો શોધીને પ્રાચીન આર્યધર્મ શાસ્ત્રરૂપી ઉદધિમાંથી અમૃતતુલ્ય ઔષધોપચાર ઉપજાવી દેશના મોટા ભાગની પ્રજા ઉપર અગણિત ઉપકાર કરવામાં જિંદગીનો સઘળો ભાગ વ્યતીત કરી સડસઠ વર્ષની વયે અવસાન પામે છે. એ વિયોગદુઃખે કવિ લાખાણીનું પ્રેમભક્તિવશ હૃદય ચીરાય છે. કવિ કહે છે “સુની સદ્ય ચૅ છે દશે તો દિશાઓ રવિ શોક અભ્ર અરેરે છવાયો’ 55 (‘ઝંડવિરહ' પાનું-૪). ઝંડુ ભટ્ટજી સ્વર્ગે જતાં સરિતા વધુ શોક-મગ્ન બની. ઝંડુ જતાં વૈદકવિદ્યાનું ખરું નૂર અને શૂર ગયાનું કવિ કહે છે. ઝંડુ ભટ્ટજી જતાં નિરાશ્રિતોનો આશ્રય, ધર્મનું પાત્ર, દીનદુઃખીયાઓની દયા, દેશી વૈદવિદ્યાનું વીરત્વ, વિવેકવશ ટેકભરી વૃત્તિ, ઉત્સાહી ઉમંગીઓનાં દલડાં - આ બધું જાણે કે ચાલ્યું ગયું છે. ઝંડુ ભટ્ટને કવિ કાઠિયાવાડનું કલ્પવૃક્ષ, ઝાલાવાડનો અનુપમ જવાહર, ગુર્જર પ્રાંતનો જ્ઞાની, ભારત વર્ષનો ભડ વીર, ભેરૂ, વૈદવિદ્યાનો સુકાની' ગણાવે છે. વીસ દિવસમાં પાછો આવું છું” કહી નડિયાદ ગયેલા ઝંડુ ભટ્ટજી પરભાર્યા સ્વર્ગે પરવર્યા - પછી શોકની અવધિ બતાવતાં કવિ કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust