SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 84 દલપત જતાં “અરે રસ આઠ આજે તો કરુણનું રૂપ પામ્યા છે.” 30 (પૃ. 12) આમ આ કાવ્યમાં કવિ દલપતરામનું ગુણદર્શન તથા એમના અવસાન નિમિત્તે એમને થયેલા આઘાતનું તથા દુઃખનું વર્ણન કરે છે. ડાકોરના ઉપાધ્યાય નારણજી લક્ષ્મીરામે પણ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈના સ્વર્ગવાસ વિષે “દલપતવિરહ' નામનું શોકકાવ્ય સં. 1954 સને 1898 માં રચ્યું. કવિ કહે છે દલપતરામના અવસાનનો મોટો કારી ધા દેશને લાગ્યો હતો. જો કે આત્માની અમરતામાં કવિ વિશ્વાસ ધરાવે છે. તેથી તો કહે છે. અચળ અમર કીર્તિ, એમની તો રહી નથી સંશય એમાં ફક્ત કાયા ગઈ છે.” 3" (પૃ. 6) દલપતરામ જતાં જાણે ભાણ અસ્ત થયાની લાગણી આ કવિ અનુભવે છે. કવેશ્વર' જવાથી તેઓના મનમાં શોકનો થોક વળ્યો છે.... આંખમાંથી દડદડ આંસુ સરે છે. સદ્દગત કવિની બેઠકનાં સ્થાનો તેમના ગયા પછી ખાવા ધાતાં હોવાનું કવિ અનુભવે છે. કરુણ વિલાપ કરતાં કવિ લખે છે. કમળ સૂરજ ચકોર ચંદ્રને જેમ બપૈયા મેહ તેમ હું તમને, દીલથી ચાહું છું મનમાં રાખી સ્નેહ” 32 (પૃ. 11). સન 1898 ની માર્ચની પચ્ચીસમીએ કવિએ સ્વર્ગવાસ કર્યો. છેલ્લે કવિ દલપતરામના મૃત્યુ પ્રસંગને ઈશ્વરાધીન માની માનવની નિરૂપાયતા વ્યક્ત કરે છે. કચ્છ અંજારમાં વસતા લુહાણાના બારોટ અયાચિ કવિ લાધારામ વિશ્રામ રઘુવંશીએ ૧૮૭ર માં હંસવિરહ' હંસરાજ કરમસી જે. પી. ના સ્વર્ગવાસનું “ફાર્બસવિરહ' ની ઢબનું કાવ્ય લખ્યું છે. કવિ સદગતની વિગત નોંધે છે. શેઠ હંસરાજ કરમસીએ વિક્રમ સંવત ૧૯ર૭ ના અષાઢ વદ બુધની રાત્રિએ બાર ઉપર એક વાગતાં આ દુનિયા છોડીને સ્વર્ગવાસ કર્યો. તેમનો જન્મ વિક્રમ સંવત 1899 ના માગશર વદ બુધનો. શરૂમાં કવિ શેઠ હંસરાજના જન્મ અને વિવિધ વિદ્યાભ્યાસ તથા કાર્યનિપુણતાનો નિર્દેશ કરે છે. તેઓએ ભાષા, વૈદક તથા વ્યાકરણશાસ્ત્રનો પણ અભ્યાસ કર્યો હતો. “માતુદેહાંત સમે મુખ બોલીયા પાળવા તે પરમાણ આઠમાસના અંતરાયે ગયા મા પાસે મતિના ખાણ” (પૃ. 6) આ કવિએ પણ એમની કવિતામાં વૃત્તિમય ભાવાભાસનો વિનિયોગ કર્યો છે. “જે ઝાડ છાંયે ગયા હશે રોશે તે તરૂના ઝુંડ” 34 (પૃ. 7) કવિ કહે છે શેઠ અઠાવીસ વર્ષ જ જીવ્યા, પણ થોડી ઉંમરમાં જશકાર્યો તેઓએ બહુ કર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy