SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 83 “વિદ્યાર્થભ તૂટીને પડીઓ હીરો હાથમાંથી રે છળીઓ” (પ) “શોક નિરંતર, અંતર ભીતર મિત્ર વિના નથી આંખ ઠરતી” " (6) કવિને તો એમના અવસાનને લીધે ભોગાવાનાં નીર પણ ધીમાં થઈ ગયેલાં લાગે છે. કોયલના શોર કઠોર લાગે છે. બધા મહિનાના વર્ણન સાથે તેઓ શોકભાવને સાંકળે છે. ગારુડીના ખેલ જેવા સ્વપ્ન-વત જગત માટે કવિ “દુઃખદાયક વેલનું વિશેષણ વાપરે છે. દલપતરામના અંગત શિષ્ય કાશીશંકર દવેએ “નર્મદવિરહ' (1896) તથા “દલપતવિરહ વિલાપ' રચ્યાં. (1898) - કવિ કહે છે 1896 ફેબ્રુઆરીની પચીસમી તારીખે આર્યભૂમિના મહાનવીર કવિરાજ નર્મદાશંકરે આ માયાવી દુનિયા છોડી પરલોકે ગમન કર્યું. આ કાવ્યનું સર્જન “કવિચરિત' તથા ‘નર્મદવિરહ' એવા બે ભાગમાં કર્યું છે. “કવિચરિત' (ગદ્ય) પાનું-૨૧ માં કવિ નોંધે રે અમુલ્યરત્ન, જેને આ આર્યભૂમિનો બીજો કોહિનૂર કહીએ છીએ તેને આર્યભૂમિના ઉછંગમાંથી રે દુષ્ટ કાળયવન ઝડપી ગયો છે. મર્ણસમયે કવિ નર્મદની ઉંમર ત્રેપન વર્ષ પાંચ માસ ને બાર દિવસની હતી. નર્મદના અવસાને સમગ્ર દુનિયા કવિને દુઃખરૂપ ભાસી, પશુપંખી, પ્રકૃતિ સૌ નર્મદના અવસાને દુઃખી થયાનું કવિ કહે છે. “કવિતાના સવિતાનો અસ્ત થયો છે' એવું લખતાં કવિનો હાથ ધ્રૂજે છે. મરવાની અનિવાર્યતા તથા એમાંથી નાસી છૂટાય એવી કોઈ જગ્યા ન હોવાની વાસ્તવિક્તા તરફ પણ ધ્યાન દોરે છે. નર્મદ જતાં જાણે સુરત કહે છે, મારે શણગાર નાશી ગયો | મુંબઈ કહે છે મારો શોક ભરપુર છે.” (પૃ. 57). આ જ કવિ એટલે કે ભવાનીશંકર નરસિંહરાવ દલપતરામના મૃત્યુનિમિત્તે દલપતિવિરહવિલાપ' નામનું અવસાનકાવ્ય રચ્યું છે. “અણધાર્યો, અણચિંતવ્યો, આપોઆપ હૃદય વધીને “દલપતવિરહવિલાપ” વાધ્યો હોવાનું કવિએ નોંધ્યું છે. ગુજરાતનો એ ગુરુ જતાં ગુજરાતનું શું નથી ગયું ?" વિદ્યાનો સાગર ને જ્ઞાનનો ભંડાર ગયો અનુભવનો અંબાર, જગ છોડી” 28 (પૃ. 3) દલપતરામ જતાં પાંજરાને તોડી કવિતાનો પ્રાણ ચાલી ગયાનું કવિ કહે છે. ગુજરાતની કાવ્યપ્રતિભા જગતમાંથી લુપ્ત થઈ હોવાનું કવિ અનુભવે છે. જગના તન અને મન કવિના અવસાને તપ્ત થયાનું કવિ લખે છે. બંધન આ વિશ્વના, તે બધાંને વિદારીને કાવ્યપુષ્પવાટિકાનો, શાણો તો શ્રીમાળી ગયો” 29 (પૃ. 8) કવિ કહે છે “દલપતરામ જતાં વિશ્વને વિયોગ ને સ્વર્ગને સંયોગ થશે.” સ્વજનો અને મિત્રોને શોક સહરાના રણથી સહસ્રગણો સખત બની તનમનને સંતાપે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy