________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 82 પ્રસંગ. જેને સુંદરમે આ ગાળાની ઊંચા સ્થાનની કૃતિમાં બેસી શકે એવો કાવ્યમય', ગણાવ્યો છે. કવિ મલબારી પોતાના આ કાવ્યને “તીવ્ર કલ્પનાસહિત, મધુર કરુણરસ પાતું' ગણાવે છે. વિલ્સનનાં પત્ની માર્ગરેટ વહેલાં અવસાન પામે છે. બંનેનું અતૂટ સુખ યમ ન સાંખી શક્યાનું કવિ કહે છે. પત્નીનો આત્મા ઉદ્વિગ્ન પતિને જાણે દિલાસો આપતો હોય એવી કલ્પના કવિએ કરી છે. પત્ની વિયોગે ઝૂરતું હૈયું પોકારી ઊઠે છે. “ચકોર હું ચંદા વિન જીવું કેમ જો” રર “હૃદયરુદન માં પતિનો વિલાપ બતાવાયો છે. વિલ્સનવિરહ' નું કાવ્ય વિલ્સનના મૃત્યુનું હોવા છતાં, વધુ ભાગ તો એમનાં પત્નીના અવસાન અંગે તેમને થયેલા પરિતાપના વર્ણનમાં રોકાયો છે. સ્કોટલેન્ડ ગયા પછી વરસમાં પાછા ફરે છે ને પોતાની પ્રાણપ્રિય પ્રિયા જ્યાં શાશ્વત નિદ્રામાં પોઢી છે, ત્યાં પોતાનું બાકી રહેલું આયુષ્ય વીતાવે છે. (પાંચ દીવાળી) વિલ્સન મૃત્યુ પામ્યા પછીના એમના દેખાવનું વર્ણન કવિ આ પ્રમાણે કરે છે. “કંચનકાયા ઝેહ, શરીર સરવરસમ કીધું આ ફિÉ પીળું એક, વક્ર બીજું કરી દીધું 23 યમરાજને કવિ દારુણ કહે છે. મૃત્યુ પર કરુણ આક્રોશ ઠાલવતાં તેઓ કહે છે. “વીર તો સીધાર્યા સ્વર્ગમાં ( તું લંડળથી શું થાય ?" 24 કવિ મલબારી મિત્ર વિલ્સનના મૃત્યુથી અત્યંત ખિન્ન થયા. જાણે હૃદય પછડાઈને મૂછ પામ્યું. પથારી આંસુધારે ભીંજાઈ. મિત્રવિરહે કવિહૃદય કરમાયું. - લોર્ડ મેયોની કતલ કાવ્યમાં ‘હાકમ ઊડ્યો રે આપણો' થી શરૂ કરી લોર્ડ મેયોની ગુણપ્રશસ્તિ ગાઈ છે. મેયોનું મૃત્યુ કુદરતી ન હોવાથી દેશના એ કલંકનું દુઃખ કવિને વિશેષ હતું. કવિ ભવાનીશંકર નરસિંહરાવને સુંદરમ્, નર્મદના અનુયાયીઓમાં ઠીકઠીક તેજસ્વી લેખક તરીકે ઓળખાવે છે. કવિ ભવાનીશંકરે 1876 માં 9 મી એપ્રિલે “ફાર્બસવિરહ' ની ઢબે “કૃષ્ણવિરહ' નામનું કરસનદાસ મૂળજીના અવસાન નિમિત્તે કાવ્ય લખ્યું. (1832 માં ૧૫મી જુલાઈએ જન્મેલા સુધારાના આગેવાન અને “સત્યપ્રકાશ ના અધિપતિ કરસનદાસ મૂળજીનું અવસાન 1871-28 મી ઓગસ્ટને દિવસે સવારે નવ વાગ્યે થયું. શરૂના દોહરામાં દીલગીરી નહીં ધરવા અને ધીરજ રાખવા સજ્જનોને તેમણે ઉપદેશ આપ્યો છે. “વૃત્તિમ્ય ભાવાભાસ' નો ઉપયોગ કરી તેઓએ કરસનદાસના મૃત્યુ સંદર્ભે પશુપંખી પણ સ્તબ્ધ થયાનો ઉલ્લેખ કર્યો. - પશુપંખીએ ઝૂરવા માંડ્યું છાંડયું ચરતાં ઘાસ ચકલાએ ચારો તો મુખ ચરતા, દીલગીરીથી ઉદાર” ર૫ (1). કરસનદાસના મૃત્યુથી શહેરમાં તિમિર છવાયાની વાત કરતા આ કવિ પોતેય આઘાતમાં આર્ત પોકાર કરે છે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust