SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 80 પામે છે. ધીરના મૃત્યુનો શોક ઘેરઘેર વ્યાપે છે. પતિના મૃત્યુની વાત સાંભળી એની પત્ની બેબાકળી બને છે. “ખોળે રમતા પુત્રને, નીહાળી તે જોય બેટા બેઠું આપણું ઘર કહિ ડગડગ રોય” 14 (39) ભાભી પોતાના પુત્ર શ્રીફળને મૂકી મરી જાય છે. કાકા શ્રીફળને નીચે સુવાડી દુપટ્ટાથી મુખ ઢાંકી દઈ પહેલાં ગરદન કાપી અંગઅંગ પછી જુદાં કાપે છે. ચાકર પર આળ મૂકી એનેય મારી નાખે છે. શ્રીફળના મૃત્યુનો ઘેરઘેર શોક થાય છે. બધા બહાવરા બને છે. “આ ટાણે એ ગામમાં શોક નારી સ્વરૂપ” (પાનું. 43). શોકે જાણે નારીનું રૂપ ધર્યું પછી તો ખૂની સાહસ પણ આક્રંદ કરે છે. શ્રીફળ માટે નહીં, પણ પોતાનાં કર્મ માટે માથા કૂટે છે, આંસુ પાડે છે, શ્રાદ્ધ કરે છે. તેર દિવસ પછી ધીરનો વારસો લઈ લે છે. પણ પછી પળેપળે તેને શ્રીફળનો આકાર દેખાય છે. પેલી ઘોડી વડ, ચાકર, બધા જાણે એણે કરેલા કુકર્મનો જવાબ માગતા હોય એમ લાગે છે. “જમદૂતો શસ્ત્ર ભરયા દાંત પીસી રિસભેર અતિ ભયાનક રૂપથી બિવડાવે બહુ પેર” 8 ચારે બાજુ જમની ફોજ જોતો રીબાઈને અંતે એકદમ ચીસ પાડી ઊઠી મૃત્યુ પામે છે. કવિ નર્મદના સગામાં કેટલીએક બાળવિધવાનાં અસહ્ય દુઃખો જોવામાં આવતાં. વિધવાનાં દુઃખ રડતાં, પોતાનાંય દુઃખને વાચા આપતાં કાવ્યો “વૈધવ્યચિત્ર ભાગ-૧ લો’ કવિ રચે છે. (“નર્મકવિતા' ભાગ-૧) સં. 1915 ઈ.સ. ૧૮૫૯ના ચોમાસામાં “નર્મકવિતા' અંક પાંચ, છ માં છપાયું. જેની ત્રણેક આવૃત્તિ થઈ હતી. જો કે આજના સંદર્ભમાં સાવ સામાન્ય કક્ષાની એ કવિતા. પતિ મરી જતાં જેમ વિધવાના વિલાપનું વર્ણન કવિએ કર્યું છે. તેમ પત્ની મરી જતાં પતિની વ્યથા પણ વ્યક્ત કરી છે. “બાળરાંડનું રુદન' માં સદ્ગત પતિને ઉદ્દેશી પતિ એક બાળક પણ આપી ન ગયાનો વસવસો વ્યક્ત કરે છે. તો બીજા એક કાવ્યમાં પતિએ પોતાને એકલી મૂકીને કરેલા સ્વર્ગવાસ માટે પતિને ઠપકો આપતી વિધવાનું ચિત્ર મૂક્યું છે. ઘણી જગ્યાએ રુચિભંગ થાય એવાં વર્ણનોય છે. તો ક્યાંક સીધીસાદી વાણીમાં વિધવાના વલોપાત વ્યક્ત થયા છે. “ઓ વ્હાલા મહેલીને પિયુ કેમ ગયા ?' પતિના મંદવાડની ચાકરી કરનાર સ્ત્રી પણ અંતે પતિને બચાવી ન શકવાને કારણે વિધવા થતાં અશ્રુધારા વહાવતી હોય એવાં વેધક ચિત્રોય કવિએ આપ્યાં છે. “વિધવાહ' લખતાં તો કવિ પોતે પણ રડ્યાનો ઉલ્લેખ કરે છે. જેમાં “મરસિયા' પ્રકારનું વર્ણન કરે છે. હાય હાય વર ક્યાં ગયો સાહેલી રે 18 (પા. 1) કહેતી વિધવાને ખાનપાનની વસ્તુ ગળે ઊતરતી નથી. ભાતભાતનાં લૂગડાં, ઘરેણાં ધગધગતા અંગાર જેવાં લાગે છે. સ્વજનના મૃત્યુ પછી બાકી રહેલા સગાંઓની કફોડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy