SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 79 “જો તું જળસ્વરૂપે તો હું બનું મચ્છરૂપે જો તું ચંદ્ર હોય તો, ચકોર થવા ચાહું છું... " (‘ફોર્બસવિરહ - 11) મિત્ર દવારૂપે હોય તો પોતે પતંગ થવા, વસંતરૂપે હોય તો કોકિલગાન ગાવા તૈયાર થાય છે. કવિ ફોર્બસસાહેબરૂપી સૂરજ વિના કરમાતા કમળ હોવાનું કહે છે. પૂરાં પીસતાળીસ વર્ષ પણ ન જીવનાર એ નિરાભિમાની, સંધિકાર ફોર્બસ વિનાની દુનિયા કવિને આદિત્ય : વિનાના અંધારથી ઘેરાયેલી લાગે છે. કવિ દલપતરામ ફોર્બસસાહેબને રત્નનગરના સર્વોપરિ રત્ન તરીકે બિરદાવે છે. પંદર દિવસની પીડા પામી દેહ ત્યજનાર મિત્રનું નામ તો અજરઅમર રહેવાનું, એવી કવિને શ્રદ્ધા છે. સુંદરમ્ નર્મદની કવિતામાં અર્વાચીનતાનો શુદ્ધ આવિષ્કાર જુએ છે. અંગ્રેજી સાહિત્યના પરિચયના પ્રથમ પરિણામરૂપે નર્મદ અંગ્રેજી કાવ્યો પરથી ઉદુભાવેલી બે કાવ્યવાર્તાઓ લલિતા' અને “સાહસ દેસાઈ આપી. બંને કાવ્યોમાં વાર્તાકથનની ખૂબ કચાશ છે. “લલિતામૃત્યુ કાવ્ય' માં લલિતાના મૃત્યુ અંગે તે કરણની પોષક ઘણી વિગતો લાવે છે પણ તેમાં ચારુત્વ નથી લાવી શકતો. કર્ણની નિષ્પત્તિ માટે છેવટે તો તેને હહહ.... હાહાહા.... હહહ.... અઅ અઅઅ જેવા શબ્દોમાં જ રસનું શિખર દેખાય છે. “લલિતામૃત્યકાવ્ય' થી કવિની જાણમાં આવેલી વિગત પ્રમાણે ઓછામાં ઓછા પચાસ ડોસાડોસીઓએ આંસુ પાડેલા એવી વિગત તેમણે નોંધી છે.” “લલિતામૃત્યુ કાવ્ય' એક કરુણ-પ્રશસ્તિ કાવ્ય છે. શરૂમાં ઈશ્વરસ્તવન, પછી વ્રજબાઈ માતાના સ્થાનક તથા એની આણનું અટકળથી જ કરેલું વર્ણન (જે હકીકતે સાચું વર્ણન બની રહે છે.) (પાનું. ૧૯)”1ર વાવાઝોડા અને તોફાનના વમળમાં અટવાતી દીકરી ઉપર વૃક્ષ, ધૂળ, પત્થરોનો વરસાદ વરસે છે. ને એમ એ દટાઈને મૂંઝાઈ મરે છે. દીકરીને શોધવા વનમાં જતો બાપ પોતાની દીકરીના રૂપને યાદ કરી વિલાપ કરે છે, એ જરા અજુગતું લાગે એવું છે. “દિપતી ઘાઘરી ઘાટડી તણી થઈ જ ઘાટડી ઠાઠડી તણી” (48). દીકરીનું મૃત્યુ ઊલટી ગંગા સમાન હોવાનું તેઓ જણાવે છે. વિલાપ કરતો બાપ કહે છે. “સહજમાં કયમે છેતર્યો મને મરણoળ મેં ના દિઠી તને” 4 (20) જોબન ફૂલ ઊગ્યું પૂરું ન રે ખિલત દેખતાં તે ખર્યું ખરે” 15 (રર) કવિ કહે છે “આ લીટીઓ લલિતાના બાપની અથવા મારા બાપની સ્થિતિ બતાવે છે. અંતે દીકરીનો બાપ પણ વનમાં જ વિલાપ કરતાં મૃત્યુ પામે છે. 1858 ની પચ્ચીસમી નવેમ્બરે કવિ નર્મદ “સાહસ દેસાઈ' નામનું વાર્તાકાવ્ય રચે ઓળખાવે છે. સીરીઝ ઓફ લેસન્સમાં સાઉધીનો લોર્ડ વિલિયમ વાંચતાં એમાંના વર્ણનની ઘેરી અસર તળે તેઓએ આ કાવ્ય રચ્યું. તેમ છતાં દેશ તથા રીતભાત પ્રમાણે વર્ણન મૂળ કરતાં ઘણું જુદું છે. સાહસ દેસાઈનો ભાઈ ધીર શત્રુના ગામમાં જઈ પરાક્રમ કરી અંતે મૃત્યુ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy