SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 72 તો રણથી શું ઓસરવું' કહી વીરમૃત્યુ માટે સજ્જ થાય છે. દુર્યોધનનો પબ માં . દુર્યોધને કરેલું કલ્પાંત પણ હૃદયદ્રાવક છે. ધૃતરાષ્ટ્રને આ વાતની જાણ થાય છે, ત્યારે આ પણ એવોજ કરુણ વિલાપ કરે છે. અભિમન્યુ યુદ્ધમાં એકલે હાથે શલ્યનું અંગ ભેદે છે. કર્ણનું કપાળ છેદે છે. દુઃશાસનને મૂછ પમાડે છે. કૌરવોમાં કાગારોળ મચી જાય છે. પ્રેમાનંદ યુદ્ધમાં લડતા અભિમન્યુનું વર્ણન કરતાં કહે છે. “પલાશ ફૂલ્યો ફાગણ માસે એવી દીસે દેહ 85 અનેક શત્રુઓથી ઘેરાવા છતાં મચક નહિ આપતો અભિમન્યુ મારવો સહેલો નથી. એવી પ્રતીતિ થતાં શ્રીકૃષ્ણ કપટપૂર્વક, ઉંદરનું રૂપ લઈ અભિમન્યુના ધનુષ્યની પ્રત્યંચા કાતરી ખાય છે, ત્યારે ધનુષ્ય ભાંગ્યું જાણી કૌરવો આ બાળક અભિમન્યુને ઘેરી વળે છે. ને દ્રોણ, કર્ણ, કૃતવર્માના બાણ વડે આ પાર્થપુત્ર ધરણી પર ઢળી પડે છે. વીરમૃત્યુને વરેલા અભિમન્યુનું વર્ણન નજાક્ત ભર્યું છે. દીપે અરુણ ઉદય સરખો કેસરી કટિનો મોડ, અકળાઈ પડ્યો પૃથ્વી પર જાણે ભાંગ્યો ચંપાનો છોડ 84 અભિમન્યુના વધ પછી સ્વજનોએ કરેલા શોકનું વર્ણન હૃદયસ્પર્શી છે. જે વીર મૃત્યુમાંથી નિષ્પન્ન થતા કરુણનું દૃષ્ટાંત છે. ‘રુએ યુધિષ્ઠિર હો, ઊઠોને બાપજી હું શો દઈશ હો, અર્જુનને જવાપજી, કોમળ જેવી હો, કમળની પાંખડીજી તે કેમ જીવે તો ઉત્તરા રાંકડીજી' 80 અભિમન્યુના વધના સમાચારે સમગ્ર પાંડવ સૈન્ય શોકગ્રસ્ત બને છે. “સુભદ્રાને શોક ન જાયે શમાવ્યો છે. એવામાં અર્જુન આવી પહોંચતાં “આથમ્યો સૂરજ સાંભળી એય મૂછ પામે છે. અભિમન્યુના વધને કવિ “સૂરજના અસ્ત સાથે સરખાવે છે “ફરી ન આવે રુદન કીધે' કહેતા કૃષ્ણના મુખે કવિ સનાતન સત્યનું ઉચ્ચારણ કરાવે છે. સુધન્વાખ્યાન” માં સુધન્વા અને અર્જુનના યુદ્ધવર્ણનમાં અર્જુનને યુદ્ધ માટે પડકારતા સુધન્વાની મુક્તિઝંખના વર્ણવી છે. અર્જુન દ્વારા કરાયેલા સુધન્વાનું શીશ કૃષ્ણ પાસે આવે છે. સુધન્વાના મુખમાંથી નીકળતા તેજનું ભગવાન પોતે પાન કરે છે એવું વર્ણન પ્રેમાનંદે કર્યું છે. તો “રણયજ્ઞ” માં યુદ્ધ પરવરતા પતિ રાવણને ઉદ્દેશી થતા અપશુકનની વાત હૃદય વેધક શૈલીમાં મંદોદરીના મુખે કવિએ મૂકી છે. આજનો દહાડો લાગે મને ધૂંધળો દીસે ઝાંખો દીનકર દેવ’ 88 રાવણને અહીં પ્રેમાનંદે ઉદાત્ત સ્વરૂપે વર્ણવ્યો છે. રામને હાથે મૃત્યુ પામવા ઇચ્છતા રાવણની ઝંખના રામદ્વારા મુક્તિ પામવાની છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy