________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 73 જાણી જોઈને જાનકી હર્ણ કીધું ઘેલી નાર મેં માગીને મર્ણ લીધું 89 કુંભકર્ણના મસ્તકને બાણ વડે રામ છેદી નાખે છે. કુંભકર્ણ મરાતાં ધરતી ધ્રૂજી ઊઠે છે. “લંકકોટના પડ્યા કાંગરા' એમ કવિ કહે છે. મેઘનાદની સામે લક્ષ્મણ યુદ્ધે ચડે છે. ઇન્દ્રજીતનું શીશ છેદાઈને લંકાધીશના ખોળામાં પડે છે. ત્યારે રાવણ મૂછ પામે છે. તે માતા મંદોદરી આજંદ કરે છે. કવિ કહે છે “લંકા દિનકર પામ્યો અસ્ત” “થઈ લંકા ઉજ્જડ સમશાન” કહી પુત્રના ગુણગાન ગાતી મંદોદરી મૂછિત બને છે. પુત્ર મેઘનાદના વધ પ્રસંગે શોક-વિલાપને કવિ આ રીતે વર્ણવે છે. કપીન્દ્રરાયને બંધન કરી મારા મેઘનાદ ઘેર આવો ફરી મારી વહુવર ત્રણે લૂટાણી કુમુદિની પેરે કરમાણી આવો અતિકાય અલબેલા આવો અક્ષરકુંવર લાડઘેલા પયપાન દેઈ મેં ઉછેર્યા ગુણવંત કાળે કેમ ઘેર્યા 90 રામ ગુસ્સે થઈ રાવણ પર બાણ છોડે છે. જમદૂત જેવા બાણ રાવણની પાછળ પાછળ જાય છે. કવિ રામ-રાવણ યુદ્ધનું વર્ણન કરે છે. રાવણના દસ મુગટને રામ છેદી નાખે છે. શત સહસ્ર બાણની ભીંસમાં રાવણને આવરી લે છે, વિરથ બનેલો રાવણ ભયભીત થઈ નાસી જાય છે. ફરી સંગ્રામમાં આવે છે. રામની ક્રોધ ભરી દષ્ટિ રાવણને પોતાના અંત કાળની પ્રતીતિ કરાવે છે. વીસ લોચન વડે રાવણ રામને હૃદયમાં સ્થાન આપે છે. રાવણના કંઠે રામ એક બાણ મૂકે છે. ને ત્રણ મસ્તક છેદાય છે. બીજું બાણ મૂકતાં બીજાં છ મસ્તક છેદાય છે. પછી એકજ મસ્તક બાકી રહે છે. અંત કાળે એક મસ્તકે ઊભા રહી વીસ હાથની અંજલિ વડે રામનું સ્તવન કરતો રાવણ રામને જન્મમરણના ફેરામાંથી છોડાવવા વિનંતિ કરે છે. રાવણ રામના બાણ વડે જ મૃત્યુ પામી મુક્તિ મેળવે છે. આખ્યાનનો અંત કરુણ નહિ, મંગલ બની રહે છે. પાદટીપ અ.નં. વિગત 1. “લોકસાહિત્ય “ધરતીનું ધાવણ (ખંડ-૧) ઝવેરચંદ મેઘાણી “લોકસાહિત્ય “ધરતીનું ધાવણ (ખંડ-૨) ઝવેરચંદ મેઘાણી રઢિયાળીરાત ભાગ-૧ ગીત-૧૮ લોકસાહિત્યમાં માનવસંવેદના લેખિકા હાયદા પંડ્યા 38, 39 ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો ચોથો 130 (‘મરસિયા અને રાજિયા') કનૈયાલાલ જોષી સંપાદકો ડૉ. મંજુલાલ ર. મજમુદાર, પુષ્કર ચંદરવાકર, શ્રી કનૈયાલાલ જોશી 6. “ગુજરાતી લોકસાહિત્યમાળા” મણકો ચોથો 2. 61 ૧૩ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust