________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 68 જર્જરિતતા અહીં વર્ણવાઈ છે. “જન્મે તેણે મરણ તો જ્યારે ત્યારે થાય” 08 | મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મૃત્યુ મંગલ, મુક્તિદાતા સદેહે મુક્તિપુરી જોયાનો આનંદ નરસિંહનો એવો હતો કે એ સિવાય કશું ગાવાનું એને ગમે પણ નહિ. ત્યાં આપણે દુન્યવી લોકો જેને “મૃત્યુકહીએ છીએ એવા મૃત્યુની વાત ભાગ્યે જ આવે. ને છતાં મૃત્યુની વાસ્તવિક્તા વિશે તેઓ સજાગ છે. જો કે કવિ સ્વજનમૃત્યુનો શોક નથી કરતા. અવધ જેની થઈ તે જવાનું. એનો વળી શોક શો? એવી સમજ નરસિંહ ધરાવતો. નરસિંહને મૃત્યુની ભીતિ ન હતી. પણ ઉત્તમ પ્રકારના મૃત્યુની ઝંખના એ જરૂર સેવતો. કવિને મન મૃત્યુ મંગલ અવસર છે. ઈશ્વરમિલનનું એ તો નિમિત્ત છે. શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે અહીંયા કો નથી કૃષ્ણ તોલે” 9 ઈશ્વરચરણે મૃત્યુ માગવાનો આ પરમ ભક્તને હક્ક પણ છે. મૃત્યુને ઈશ્વર સાથે તરૂપ થવાની પ્રક્રિયા ગણતા કવિ “મંગલ' માને એ સ્વાભાવિક છે. નરસિંહની જેમજ પરમેશ્વર ને અખૂટ પ્રેમ કરતી મીરાં પણ મૃત્યુનો ભય ન રાખતી. એટલું જ નહિ મૃત્યુનો સહર્ષ સ્વીકાર કરવા એ ઉત્સુક હતી. હરિની ભક્તિ કરતાં મૃત્યુ આવે તો પોતાને એ બડભાગી માનતી તેથી તો એ કહે છે - જીવડો જાય તો જાવા દઉં હરિની ભક્તિ ન છોડું રામ” છે મૃત્યુને મીરાં સ્વેચ્છાએ નિમંત્રે છે. મૃત્યુને એ મંગલ અવસર ગણે છે. તેથી તો “અગર ચંદનની ચિતાયે જલાવવાની વાત કરે છે. મૃત્યુ દ્વારા ઈશ્વરમિલન સધાતું હોય તો એ મૃત્યુ મંગલ” અને “આનંદસ્વરૂપ છે. સોરઠી કવિ મૂળદાસ લુહારી પણ ઉત્તમ મૃત્યુની વાત કરે છે. મરણનો ભય ટળી જાય એવા મૃત્યુને આ કવિ ‘ઉત્તમ' અને “મંગલ' ગણાવે છે. દાસી જીવણને પણ મૃત્યુનો ભય ક્યારેય ન હતો. જેણે અહમભાવ ઓગાળી નાખ્યો હોય એને શરીરના મૃત્યુની પરવા જ ન હોય. જિંદગીનો સરવાળો મોતને ટાણે મંડાતો હોય એમના નફાનો પાર નથી રહેતો. મોત અહીં પરાજિત તથા દયામણું બનીને આવે છે. આવા મહાનુભાવોને લઈ જઈ “મૃત્યુ પોતે ધન્ય થઈ જાય છે. આ સંત કવિ મૃત્યુને મંગલ અવસરરૂપે સ્વીકારવા તૈયાર છે. જયારે કવયિત્રી ગંગાસતી અગાઉથી જ જીવશિવમાં ભળ્યાની જાણે એંધાણી આપતાં નામરૂપની ઉપાધિ મટી ગયાની જીવતાં જીવત અનુભૂતિ કરે છે. એને વળી મૃત્યુનો ડર શો? શરીર પડી રહે છે ને પ્રાણનો-આત્માનો તાર હરિમાં ભળી જાય છે. “મૃત્યુ ને પ્રભુમિલન માનતાં ગંગાસતી માટે તો મૃત્યુ “મંગલ મહોત્સવ' જ હોય ને ? કાન્હડદે પ્રબંધ' ના કવિ પદ્મનાભે યુદ્ધજન્ય વીરોચિત મૃત્યુને “મંગલ સ્વરૂપે જ બિરદાવ્યું છે. જ્યારે યુદ્ધમાં જીતવાની કોઈ શક્યતા ન હોય ત્યારે દુશ્મનને શરણે જવા કરતાં રજપૂતો કેસરિયા કરવાનું પસંદ કરતા, જે મંગલ મૃત્યુ જ ગણાતું. પ્રથમ એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust