________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ 67 માથે કાળનગારાં ગડે. પ્રાણિયા ભજી લેની કિરતાર આ તો સપનું છે સંસાર” " સંસારને સ્વપ્ન માનનાર ભોજો જીવનમુક્ત હતો. તેથીજ તો મૃત્યુને એમણે તુચ્છ ગણું હતું. મૂરખ, ને પામરને ચેતવવા તેઓ કાળનો ડર બતાવે છે. એમના જેવા અનાસક્ત જીવને તો કાળ પણ ખાઈ ન શકે. આવી બ્રહ્મખુમારી વ્યક્ત કરતો ભોજો કાળના શાસનનોય સ્વીકાર કરતો નથી. મૃત્યુ અંગે ચેતવણી આપતાં કવિ પ્રીતમ કાળને પારધી સાથે સરખાવે છે. “કાયા ઉપર તાકે કાળ મહાપારધીએ માંડી જાળ” 73 તો કાળઘંટીમાં દળાતા માનવજીવનની વાત કરતાં કહે છે. “કાળઘંટીમાં સહુ દલાયું કોય રહ્યો નહિ આખો” 4 કાયાને કાળનો કંપો, ને જગતને કાળના ચવાણા તરીકે નિરૂપનાર કવિ પ્રીતમ એક સ્થળે કાળસ્વરૂપી વાછડું આવરદાને ચાવે' એમ કહી દહાડે દહાડે નજીક આવી રહેલા મૃત્યુનો નિર્દેશ કરે છે. કાળસ્વરૂપી વાછડું કહીએ આવરદા ચાવે દહાડે દહાડે મૃત્યુ ટૂકડું આવે” 5 કાળ શિર પર તાકી રહેલો હોવાથી કવિ પાણી પહેલાં પાળ બાંધવાનું કહે છે. પવનઝપાટાથી દીવો હોલવાય એમ કાળના ઝપાટાથી દેહ વિલાઈ જશે એમ ભોજો કહે છે. કાયાને કાળની ભાજી કહેતો પ્રીતમ જગતનું વાસ્તવદર્શન કરાવ્યા વિના રહેતો નથી. એક ઘડી ઘરમાં નહિ રાખે કાઢો કાઢો કહેશે રે દિન દશ, આઠની બાજી કાયા છે કાળની ભાજી કાયાને તો કાલ નિરંતર ખાયે” 34 જન્મે છે તે મરે જ એ દીવા જેવા સત્યને પ્રીતમ આ રીતે રજૂ કરે છે. જે ઉગ્યા તે આથમ્યા, ને ફૂલ્યા કરમાયા કાળચક્ર કોને નવ મૂકે, કોણ રંક ને રાયા રે 5 થી સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ નારણદાસ સંસારને “કાળનું ચવાણું' કહે છે. કાળનું સાન્નિધ્ય નિરંતર આપણી પાસે છે. એ આપણી પાસે જ વસે છે. ગમે ત્યારે પકડી લે. તો યમદંડ’ નામનું કાવ્ય લખનાર સ્વામી નિષ્કુળાનંદ કહે છે, “જેમ બિલાડી ઉંદરને, ને બગલો માછલીને પકડે, કે બાજ તેતરને ઝાલે એમ કાળ જીવને પકડે છે.” કવિ દયારામ “કાળજ્ઞાનસારાંશ' કાવ્યકૃતિમાં “કાળ' નો અર્થ “મહાકાળ' અર્થાત “મનુષ્ય દેહનું અવસાન' એવો કરી કાળનું જ્ઞાન કરાવવાનો પ્રયત્ન કરે છે. દેહની ક્રમિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust