________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * દદ સત્તરમા સૈકાનો અગ્રણી જ્ઞાની કવિ અખો પણ કાળના વર્ચસ્વની વાત કરે છે. “કરકરો થયે કાળ નહિ બીએ, જોરે જમ જીત્યો છે ઉભે છે “કાળચક્ર સુભાવે ફરે (ત્યાં હાં) સહેજે ઉપજે સહેજે મરે એમ જાણી અખા જ ભળી આ પુનરપિની કચકચ ટળી 60 અખો કહે છે, “ચાલાક બનવાથી કાંઈ કાળને પરાજિત કરી શકતો નથી. કળવકળ કાળ મન કશી ? શું બાળક છે જે છેતરશો હસી? હિર્શકશપે મૃત્યુ મેટું છળે હરિએ તે ઘાટ ઘાલ્ય કળે” 8 પાછળ પડેલા કાળને વર્ણવવા અખો સરસ દષ્ટાંત આપે છે. કપિને જેમ શંગાર્યો નટે ભીખ મંગાવે રહ્યો ચોવટે . અખા લે સર્વે ઉદાલ કંઠ દોરડી પૂછે કાળ” 29 પ્રત્યેક જીવ, જો એ જીવનમુક્ત ન હોય તો પળેપળે કાળ વડે લૂંટાય છે. એના તન, મન ધનને કાળ હરી લે છે. અખાની દષ્ટિએ કાળ કરડો છે. જે સૌને તત્કાળ સાવ ખોખાં કરી નાખે છે. - “ખોખાં કરી નાખે તત્કાળ અખા એવો કરડો કાળ” 0 નિરાંત ભગત પણ માનવને ચેતવણી આપતાં કહે છે. “ફૂલ્યો શું ફરે છે છાકમાં છાયા ન જોતો ચાલ વરણાગીયાં વાટ ઊઠશે, લૂંટી લેશે કાળ” * જીવનમુક્ત કવિ ભોજો કાળના પ્રહારથી સભાન અને સજાગ છે. “કાળનું કારણું દળ આવી દેહને દળી નાખશે.' કહેતો ભોજો પોતે તો મૃત્યુથી ડરતો જ ન હતો. મૂરખ તથા પામર માનવને ચેતવણી આપતો. આવતીકાલ અને ભવિષ્યની વાતો કરનારાઓને કાળચક્રના આવર્તનો અને શાસનથી સજાગ બનાવતાં ભોજો સરસ વાત કરે છે. “મૂરખો કાલની વાતું કરે માથે કાળનું ચક્ર જ ફરે” એક પદમાં ભોજાએ “વાંસડા' નું વર્ણન કાળના પ્રતીક તરીકે કર્યું છે. “જીવને શ્વાસતણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ મૂરખો મોહને ઘોડે ચડે રે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust