________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 65 અંગે. વીજળીના ચમકારા જેવા મનુષ્યદેહને બરાબર જીવી લેવામાં ન આવે તો કાળ કોળિયો કરી જશે ને પછી અંધકાર થઈ જશે. તેથી મનખાદેહનો સદુપયોગ કરવા ચેતવે છે. તો “વખત ગયા પછી પસ્તાવો થાશે, પાનબાઈ, અચાનક ખાશે તમને કાળ' - માં ગંગાસતી મૃત્યુસંદર્ભે પામર જીવને ચેતવણી આપી જાગૃત કરે છે. ને ભક્ષક તરીકેના કાળ' ના સ્વરૂપથી માનવને માહિતગાર બનાવે છે. આખ્યાનશિરોમણિ પ્રેમાનંદ “અભિમન્યુઆખ્યાન' માં બાલક અહિલોચન પિતાના મૃત્યુનું વેર લેવા ભગવાન શ્રીકૃષ્ણને મારવા નીકળે છે ત્યારે કહે છે “કુંવરે કેશવ નહિ જાણ્યા, જે કાળતણા છે કાળ” પ૯ પ્રેમાનંદ અહીં કૃષ્ણને કાળ-નાથ કાળ કહી વંદે છે. ભગવાનને મારવા નીકળેલો રાક્ષસબાળ પોતે જ પોતાનો કાળ બની રહે છે. “જેમ તેતરને તેડે વાધરી એમ કાળે પેટી આગળ ધરી જેમ કોશ વિષે પેસે તરવાર તેમ દૈત્ય પેઠો પેટી મોઝાર” 0 કુરુક્ષેત્રના આરંભાયેલા યુદ્ધમાં દ્રોણે અભિમન્યુને મારવાની આકરી પ્રતિજ્ઞા કરી છે. ત્યારે ગભરાયેલા પાંડવો પિયર ગયેલી ઉત્તરાને તેડું મોકલે છે. એ ગભરાટનું વર્ણન કવિ કરતી વખતે કાળની ન્યારી “ગતિ' ની રહસ્યમયતા પર ભાર મૂકે છે. કાળતણી હો અવળી વાત છે ન જાણીએ હો કેવો ઉગશે પ્રભાતજી” 1 અભિમન્યુને ચારે બાજુથી મહારથીઓએ ઘેરી લીધો છે ત્યારે એ છ મહારથીઓને કવિ ‘કાળસરીખા' કહી આક્રોશ વ્યક્ત કરે છે. “દશમસ્કંધ' માં કવિ પ્રેમાનંદ કંસને કાળરૂપ ગણાવી, કાળના મૂર્તિમંત સ્વરૂપ જેવો કહે છે. પણ દેવકીનો આઠમો પુત્ર અવતરવાનો થયો ત્યારે કંસની ઊંઘ હરામ થઈ જાય છે. એ કહે છે, “કાળ મારો સર્વથા એ હવે ઉગરવું નથી”. 12 મરણ તો કંસનેય મૂકવાનું નથી. તેથી કંસને ચિંતા થાય છે. પૂતના પાસે બધાં બાળકો મરાવવાનું કંસ નક્કી તો કરે છે. પણ કાળસ્વરૂપ ભગવાનને કોણ ઓળખી શક્યું છે ? માસી પૂતના નજીક આવતાં અવિનાશ ઊંઘી ગયાનો દેખાવ કરે છે. પૂતના આવી પારણા પાસે આવ્યો ન જામ્યો કાળ રે” 23 કરે અમૃતનો આહાર' કહી હળવેકથી ભગવાનને પૂતના માસી ઉપાડે તો છે. પણ પછી - તીવ્ર અગ્ર નખનાં કરી રે વીંધ્યું માસીનું શરીર આકર્ષે પ્રાણ પરમેશ્વરે - તવ માસી પાડે ચીસ 4 કંસે મોકલેલા ગંધર્વાસુરનું મસ્તક ભાંગીને ભૂકો થાય છે. બધાની ના છતાં જમનાના કાલિનાગનું મર્દન કરે છે. ને ત્યારે નારદજી ફરી કંસને ચેતવે છે. સાંભળ ભૂપાળ, કનિષ્ઠ પુત્ર છે તારો કાળ આવ્યો કાળ કાંઈ થા સાવધાન કહી નારદ થયા અંતર્ધાન P.P. Ac. Gunfatnasuri M.S. Jun Gun Aaradhak Trust