SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 64 નાશ થાય છે. દયારામને મન સંસારાસક્ત જીવ જીવતો છતાં મૃત્યુ પામેલો જ છે. ગર્ભવાસનાં કષ્ટોથી ત્રાસી ગયેલો જીવ પરમાત્માને પ્રાર્થના કરી એમાંથી મુક્ત થવાની ઝંખના વ્યક્ત કરે છે. પણ પાછો આ દુનિયામાં પ્રવેશતાંની સાથે પેલાં કષ્ટ, આજીજી, પોકાર, સઘળું વિસરી જઈ સંસારમાં રચ્યોપચ્યો રહે છે. ને પરિણામ સ્વરૂપે “પુનરપિ જનનું પુનરપિ મરણ, પુનરપિ જનની જઠરે શયનમ્” સ્થિતિને પામે છે. ચિંતા કરનાર જીવને દયારામ આત્મઘાતી કહે છે. “જનાર વસ્તુ એણિ પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે માં માનવજીવનની નશ્વરતાનો નિર્દેશ થયો છે. દયારામ પોતે જ પોતાનો ગુરુ બની શિષ્ય જેવા મનને સ્વદેશભણી પ્રયાણ કરવા સૂચવે છે. “મનજી મુસાફર રે, ચાલો નિજ દેશ ભણી 2 મુસાફરી થઈ છે ઘણી” પt લાંબી મુસાફરી કરી જીવનપ્રદેશના અનેક મુલકો જોયા પછી છેવટે “સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભુલતા ભાઈ.” આ દેહમાંજ સ્વપુર જવાની તૈયારી કરી લેવાની, જીવનની નશ્વરતાને સમજી શકીએ તોજ વૈરાગ્યવૃત્તિ દઢ થાય. જીવન ટૂંકે છે, ને એની એકએક પળ કિંમતી છે. તેથી તો દયારામ કહે છે. “મૂરખ તું સમજે નહિ આયુષ્ય ઓછું થાય” પ૭ મધ્યકાલીન ગુજરાતી કવિતામાં કાળનું નિરૂપણ નરસિંહ પોતે જીવન-મુક્ત હોવાથી ને જીવતાં જીવંત એણે મુક્તિપુરી જોઈ હોવાથી, એને તો મૃત્યુની બીક ન હતી. પરંતુ માથે ભમી રહેલા મોતની જેને ખબર નથી એવા અમર મનુષ્યને તો એ જોરદાર ચેતવણી આપે છે, ને માથા પર દાંત કચકચાવતા કાળનું ભયાનક વર્ણન કરે છે. “અલ્પ સુખ સારું શું મૂઢ ફૂલ્યો ફરે શીશ પર કાળ રહ્યો દંત કરડે 58 ૧૬૫૫માં જન્મેલા આત્મજ્ઞાની કવિ મૂળદાસ લુહારી કાળને “વિકરાળ કઠિયારો' કહે છે. કવિ મૂળદાસ કહે છે “પીપળાના પાન જેવા ચંચળ સંસારમાં દેહ અને જીવરૂપી બે પંખીડાં પાંખો પરોવીને પોઢ્યાં છે. પળેપળે નાશની નોબત વાગી રહી છે. કાળનો વિકરાળ કઠિયારો, પંખી જે ડાળ પર પોઢયાં છે તેને કાપી નાખે છે અને દેહ તથા જીવરૂપી પંખી જુદાં પડી જાય છે. કવિ ગોરખ કાળથી ડરતા નથી. આ નશ્વર શરીર પણ કાળના ઘણના ઘા ખમી શકે એવી અદ્દભુત એરણ બનાવ્યાનું કહે છે. માથે કાળરૂપી વેરી બેઠેલો હોવાની ચીમકી આપતા રવિરામ ખુદાની બંદગી કરી લેવા કહે છે. કચ્છી સંત ડાડા મેકરણ “મેકા' અજ્ઞાાનમાં પોઢી રહેલા જીવરૂપી ભમરાને જગાડવાની વાત કરે છે. જે જાગૃત બનીને અમીરસ પીએ છે, તેની આગળ કાળનું કાંઈ ચાલતું નથી. તે મૃત્યુંજય બની જાય છે. કવિ કહે છે “પોઢેલા ભ્રમરરૂપી પામર જીવને કાળરૂપી હાથી આવીને જોતજોતામાં છેદી નાખશે. * ગંગાસતીએ તો કાળને બરાબર ઓળખી લીધો હતો. ખૂબ સજાગ હતાં તેઓ કાળ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy