________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 62 ને પૃથ્વીનો પૃથ્વીમાં ભાગ મળી જાય - એ સત્ય કહેતાં અચકાતા નથી. તો સ્વજનના મૃત્યુસંદર્ભે લખાતા રાજિયા પણ પ્રીતમ લખ્યા છે. જો ને વિચારી જીવડા રે માથે મર્ણનો છે. ભાર” પ૦ એક પદમાં કવિ કાયાને ઝાકળનાં નીર સાથે તથા કારમા કુસુમ (કુસુમ કારમું?) સાથે સરખાવે છે. જેને વણસતાં વાર લાગતી નથી. કાયાને કાચા કુંભ સાથે તથા જળના પરપોટા સાથે સરખાવી, તેની નશ્વરતાનો નિર્દેશ પ્રીતમ કરે છે. જીવનની નશ્વરતા વિષે વારંવાર ટકોર કરનાર આ કવિએ પ્રેમ અને આનંદનો કદી નિષેધ કર્યો નથી. પ્રેમભાવ વિનાના માનવને કવિ “હાલતાચાલતા મસાણ' તરીકે ઓળખાવે છે. પ્રીતમ પૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરોને સ્વીકારે છે. પણ “નામ તેનો નાશ' એ ન્યાયે દેહના નાશની વાત પણ કરે જ છે. પાંચ જ પાનામાં “જ્ઞાનગીતા' લખનાર પ્રીતમ જીવપણાને “જોખમ' કહે છે. “જીવપણાનું જોખમ મોટું મરવું ને અવતરવું” | શરીર ધારણ કરનારને સતત જન્મમરણના ચક્રનું જોખમ રહેલું છે. તનમનની શુદ્ધિના આગ્રહી કવિ પ્રીતમનો દૃષ્ટિકોણ વૈજ્ઞાનિક છે. એમને તો જીવન અને મૃત્યુ બન્ને સ્વાભાવિક લાગે છે. તેથી તો માનવપિંડમાં રહેલાં તત્ત્વોનું તેઓ વિશ્લેષણ કરી શકે છે. આ તત્ત્વોની સપ્રમાણતા ઘટતાં બીમારી આવે, જે અંતે મૃત્યુમાં પરિણમે છે. સત્કાર્યો કરતાં મૃત્યુ પામનાર માટે એ મંગલ અવસર બની જાય છે. પણ પામરને તો પ્રીતમ તીખી વાણીમાં ચેતવણી આપે છે. “એક ઘડી ઘરમાં નહિ રાખે કાઢો કાઢો કહેશે રે દિન દશ આઠની બાજી કાયા છે કાળની ભાજી" પર અ. પ્રીતમે માનવના ચિત્તમાં સાચા વૈરાગ્યની ભાવના જગાડે એવા રાજિયા પણ લખ્યા છે. પ્રીતમ જેવા જીવનમુક્ત કવિએ શરીરના મૃત્યુને ક્યારેય પૂર્ણવિરામ ગણ્યું ન હતું. મૃત્યુને તેઓ મર્યાદિત માનવજીવ-તથા સર્વવ્યાપી અનંતજીવનને જોડતી કડીરૂપે જ જુએ છે. તેઓ માને છે કે - શરીર જન્મથી કાંઈ પામવાનું નથી મૃત્યુથી કાંઈ ગુમાવવાનું નથી” પ્રીતમ સંસારીઓને ત્યાગનો મહિમા સમજાવતાં કહે છે “મૃત્યુ આથું આવું છે એમ માની આત્મકલ્યાણક પુણ્યકાર્યો કરવાનું પાછું ઠેલવું નહિ જોઈએ. કારણ મૃત્યુ આવશે ત્યારે એ ઘડીક થોભવાનું નથી. પ્રીતમ પુનર્જન્મ અને પૂર્વજન્મમાં માનનારો છે. જીવન ચોર્યાસી લાખ ફેરામાંનો એક તે મનુષ્યાવતાર એકેક જન્મ રોંટના ઘોલકાંઓની જેમ આવે છે, ને જાય છે. જન્મ અને જીવનની આ ઘટમાળમાં “જગતનું સુખ ઝાકળનું છે પાણી રે”. પ્રીતમ મૃત્યુને અનંતતાના ચિન્મય ભાગ સમાન માને છે. એક જ માલિક જુદાં જુદાં ક્ષેત્રનો જાણે ભોંયબદલો કરતો હોય તેવી આ મૃત્યુની પ્રક્રિયા છે. મર્યાદિત માનવજીવન અને અનંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust