________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 61 અણહાલ્યા જળની જેમ સંસારમાં જે જલકમલવત રહે છે એને મુક્તિ શોધવા જવી પડતી નથી. જીવતાં જ એને મુક્તિ મળી જાય છે. દુન્યવી મૃત્યુની તુચ્છતાને અખો પિછાને છે. મૃત્યુ નામનો પરપોટો પણ જયાં નાશ પામે ત્યાં કેવળ ચૈતન્યવિલાસના અનુભવની આનંદ-છોળ જ છલકતી રહે છે. જે મૃત્યુ નહિ પણ અમૃતના સંદેશને વાચા આપે છે. ભૂતભૂત પ્રત્યે વિચરે 1 . અને મૃત્યુ નામ પરપોટો મરે” 40 માં મૃત્યુની ક્ષુલ્લક્તાની કવિ વાત કરે છે. તો ક્ષણે ક્ષણે જન્મ ટળે, એવું મરવું એમ કહેતો અખો મંત્રદૃષ્ટાની પેઠે પોતાની બ્રહ્માનુભૂતિનો આનંદ કવિતામાં વ્યક્ત કરે છે. મૃત્યુ પાછળ શોક કરનારને અખો ઘેલા ગણે છે. કારણ અખાની દૃષ્ટિએ તો કોઈ જન્મતું નથી, કોઈ મરતું નથી. “અખા સમજે જો સમજી જુએ બાપના બાપને ઘેલા રૂએ 48 સમજ અને જ્ઞાન ધરાવનારને જીવન, મૃત્યુનો ભેદ હોતો નથી. “અખે જગતથી અવળું કર્યું જીવત મૂકી મૃતક આદર્યું મૃતક સમું મીઠું કાંઈ નથી સારમાંથી સાર કાર્યું કથી 49 અખાને મન આ જીવન બાળકની રમત જેવું છે. બાળક રમતને પછી નકામી ગણે છે. જયારે ઘરડો માણસ આ રમતને જ (દેહને, જીવનને) સત્ય માને છે. પણ આવો જીવ ક્ષણેક્ષણે કાળ વડે લૂંટાય છે. એના તન, મન, ધનને કાળ હરી લે છે. નિરાંત અને ધીરાને ગુરુપદે સ્થાપનાર કવિ બાપુસાહેબ ગાયકવાડ (ઈ. સ. 1777/ 1843) કાયાને “આકડાના નૂર' તરીકે ઓળખાવે છે. ને આત્માની અખંડિતતાનો મહિમા ગાય છે. “ફૂલ ખીલીને ખરી પડે, એવું કાયાનું છે કામ રે” કવિ ભોજો પણ મૃત્યુમાંથી અમૃત તરફ જવાની વાત એમની કવિતામાં કરે છે. “પ્રથમ કટારિયું પહેરીને નીસર્યા, મરી મટ્યા તેહને કોણ મારે ?" જન્મ્યા ત્યારથીજ જેઓ ખાંપણ ખભે નાખીને ચાલે છે એને વળી કોણ મારી શકવાનું? આવા પરમયોગીને પોતાના દેહાવસાનનો પહેલેથી ખ્યાલ પણ આવી જતો. તેથી શિષ્ય જલારામને આપેલું વચન પાળવા અંતિમ દિવસોમાં તેઓ વીરપુર પહોંચી જાય છે. કવિ ભોજો કહે છે “જ્યાં સુધી વ્યક્તિનો શ્વાસ ચાલે છે, ત્યાં સુધી ઘરમાં રહેવાનો અધિકાર એને મળે, શ્વાસ બંધ થતાં એને કાઢવાની સૌ ઉતાવળ કરે છે. છેલ્લે આંગણું લીંપીગૂંપી પછી સમય થતાં સૌ એને લઈ જવા તલપાપડ થાય છે. એક વખતના નિકટના સ્વજનને, પ્રાણપ્યારાને સ્પર્શતાં પછી આભડછેટ લાગે છે. અનાસક્તિ ભાવને જેણે જીવી જાણ્યો છે, રાગદ્વેષથી જે પર બની ચૂક્યા છે એને હરખશોક સુખદુઃખ બધું એકસમાન છે. ને તેથીજ “મૃત્યુ' તત્ત્વને તો ભોજો વિચારવા જેટલું * પણ મહત્ત્વ આપતો નથી. કવિ પ્રીતમ પણ જીવનમુક્ત જોગી હતા. તેઓ કહે છે “જીવ જ્યારે આ શરીર છોડીને જાય ત્યારે ગગનનો ગગનને, પવનનો પવનને, તેજનો તેજમાં, જળનો જળમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust