________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 60 “ભાઈ રે નામ ને રૂપની મટી ગઈ ઉપાધિ ને વરતી લાગી ઇંડની પાર રે * ગંગાસતીનું શરીર પડી ગયું ને ! મળી ગયો હરિમાં તાર રે 43 (પૃ. 78) જગતમાં નામરૂપી વૃત્તિ ટળી જવાથી વૃત્તિઓ નાડીતંત્રની પેલે પાર સ્થિર થઈ અને કેવળ પરમાત્મામાં જ ચિત્ત સમાઈ ગયુ. (શરીર મૃત્યુ પામતાં જીવ શિવમાં ભળી ગયો) પ્રેમાનંદના “રણયજ્ઞ માં રામને હાથે મૃત્યુ પામવાની રાવણની ઇચ્છા મુક્તિ માટેનો તલસાટ સૂચવે છે. રઘુનાથને હાથે મર્ણ પામવા માટે જ કરાયેલું સીતાહરણ રાવણને ઉદાત્ત પુરુષ તરીકે સ્થાપે છે. ભાગવતમાંથી કથાવસ્તુ લઈ રચેલા “દશમસ્કંધ' માં રાક્ષસસંહારનું વર્ણન કરતાં પ્રેમાનંદ સીધું જ મૃત્યુ ચિંતન રજૂ કરે છે. જન્મ મૃત્યુ જીવના હાથમાં નહીં પણ ઈશ્વરાધીન હોવાનું તેઓ કહે છે. “હું હણું છું, મુને હણશે કોણ? - એ સંકલ્પ વિકલ્પ પ્રાણીના તે વૃથા અક્ષર કેમ હશે ? જે લખ્યા પુરૂષ પુરાણીના” જ 49 મા કડવામાં પ્રેમાનંદ જન્મમરણના ચકરાવાની તથા ઈશ્વરભજન કરનારને જમદર્શન હોતાં નથી એવી પરંપરાગત માન્યતાને રજૂ કરે છે. સત્તરમા સૈકાના નોંધપાત્ર કવિ અખાએ એમની કવિતામાં વેદોને એક દર્શનશાસ્ત્ર જ નહિ, અનુભવશાસ્ત્ર તરીકે સ્થાપિત કરી આપ્યા છે. અખાની દષ્ટિએ માનવ પોતેજ આત્મસ્વરૂપ હોવાથી એણે કશું પામવા કે ગુમાવવાની ઇચ્છા કરવાની કે મૃત્યુ કે અન્ય જન્મની વાંછના રાખવાની જરૂર નથી. અખાને મન તો મુક્તિની ઇચ્છા જ “બંધન' સમાન છે. કારણ સાચો આત્મજ્ઞાની સદાય મુક્ત છે. જીવનમુક્ત થવા સંદેશ આપતો અખો અહંકારને ઓગાળવાની જરૂરત પર ભાર મૂકે છે. કારણ શરીરનો નાશ તો થવાનો જ છે. એને કોઈ ટાળી શકવાનું નથી. મન વડે મરવાની વાત કરીને મૃત્યુના ભયને ખંખેરી નાખવાનો અખો આદેશ આપે છે. શરીરનું મૃત્યુ થાય, ત્યારે તો સૌ કોઈ મરે છે. પણ એ પહેલાં દેહભાવથી જે મરી ચૂક્યો છે એ જ સાચું મર્યો ગણાય. “અખો અજાતિવાદ (ગૌડપાદાચાર્ય પ્રમાણે ન કશ્ચિદ્ વસ્તુ જાયતે” ગૌડપાદકારિકા, 4-22) “કશું જન્મતું નથી' એ સૂત્રનું પ્રતિપાદન કરે છે. ને કશું જન્મતું ન હોય તો પછી કશું મરે પણ શેનું? તેથી અખાને મન તો મૃત્યુનું અસ્તિત્વ જ નથી.૪૫ * સાપ કાંચળી ઉતારે એમ જીવભાવને, દેહાધ્યાસને ખંખેરી નાખનાર “છતે અણછતા જેવો બની રહેનારને મૃત્યુ કદી સતાવે નહિ, સ્થૂળ મૃત્યુની એ પરવા પણ ન કરે. તેથી તો અખો પંચમહાભૂતોમાં ભળી જતાં પહેલાં (આ શરીર મૃત્યુ પામે એ પહેલાં) મરી જવાની વાત કરે છે. “મરતાં પહેલાં જાને મરી (જ્યમ) અણહાલ્યું જળ નીતરે 4 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust