________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 58 બહારે તાકી રહી બિલાડી લેતાં વાર ન લાગે છે આજકાલમાં હું તું કરતાં જમડા પકડી જાશે જી” 35 માનવને ખરાબ કામ કરતો અટકાવવા આ સંપ્રદાયે જમના મારની વાત અવારનવાર કરી છે. નિષ્કુળાનંદ સ્વામીએ તો “યમદંડ' નામનું આખું લાંબું કાવ્ય જ મૃત્યુ વિશે લખ્યું છે. જેમાં માત્ર “મરણ” જ નહિ, જન્મસમયસની યાતનાનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. જમ્ના દુઃખને પણ અહીં ઘણું વિકટ ગણવામાં આવ્યું છે. જર્જિત કાયાના મૃત્યુ-પ્રયાણની ઘડીનું વર્ણન હૃદયસ્પર્શી છે. યમ એટલે મહાકાય વિકરાળ રાક્ષસ. યમને કવિએ અહીં રુધિરથી લથબથ, બહાર નીકળેલા રાતા દાંતવાળો વર્ણવ્યો છે. લાંબા જ્હોરવાળી વજથી પણ કઠોર આંગળી યમની હોવાનું કવિ કહે છે. કવિ નિષ્કુળાનંદ કહે છે, જમદૂત જોરથી જીવને પકડી એના કંઠમાં કાળપાશ નાખે છે. જમ રોજ જીવને બસો સુડતાલીસ જોજન ચલાવે છે. જમ જ જીવને સમજાવે છે કે “અહીં કોઈ કોઈનું નથી' ને જમપુરમાં તો વળી કોઈ સગાવહાલાં નહિ હોય. જમદૂતનું વર્ણન અહીં નિષધાત્મક અને ભયરૂપે કરાયું છે. નરકના એકવીસ નામની ને જીવને પીડા આપવાના અઠાવીસ કુંડની વાત કવિ કરે છે. કવિ નિષ્કુળાનંદ પણ દેવાનંદની જેમજ જીવને માથે વાગતા મોતનાં નગારાંની વાત દ્વારા માનવને ચેતવે છે. દયારામ પોતે તો તત્ત્વજ્ઞ ને ભક્ત કવિ, પણ સ્વાર્થી અને માયાલુબ્ધ માનવોને મૃત્યુના વાસ્તવનું દર્શન કરાવી ચેતવે છે. “મારું તારું મે'લો મે'લો મૂર્ખ, જમડા ઝાડે બાંધે ધગધગતી અંગીઠી માંહે, સાંધે સાંધો સાંધે” ને આવા સંસાર ભૂખ્યા લોકોની વ્યથાને વાચા આપતાં કવિ દયારામ કહે છે. “મરણાં ટાણે રે મેં થી કેમ કરાશે ? કે જન્મકિંકરના મુદુગર મોટાઈ કેમ જોવાશે” 30 પ્રભુભજનની અગત્ય સમજાવતાં મૃત્યુના સત્ય પ્રત્યે આંગળી ચીંધી કવિ ચેતવણી આપે છે. જગ્યું તેને મરણ તો - જ્યારે ત્યારે થાય પણ તેને ધન્ય જેનો હરિભજતા દિન જાય” 38 ટૂંકા જીવનની એકએક ક્ષણ કિંમતી હોવાની વાત દયારામ કરે છે ત્યારે જીવનની ક્ષણભંગુરતા પ્રત્યે આપણું ધ્યાન દોરે છે. મૂરખ તું સમજે નહીં આયુષ્ય ઓછું થાય” જયમ સરોવરની માછલી સમજે નહિ સલિલ સુકાય રે 39 અજ્ઞાનને લીધે ધીરે ધીરે ઓછા થતા આયુષ્યના વાસ્તવને માનવ સમજી કે સ્વીકારી શકતો નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust