________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ પદ “તારું પડયું રે'શે પરિયાણું બળી બળીને ઓલાઈ જશે જેમ સગડી માંયલું છાણું” રજ છે (“ઓચિંતાના જમ આવશે) સંતકવિ મીઠો અંતિમ સફરની પરિસ્થિતિનું વર્ણન પ્રતીકાત્મક રીતે કરે છે. “બેડીના નાંગર તૂટ્યા ને નાડાં થિયાં નાપડાં, " બૂડી ગિયા એના હાકણહાર રે” શરીરરૂપી હોડી જર્જરિત થયાની વાત મૃત્યુના આગમનની અહીં એંધાણી આપે છે. અંત સમયે શ્વાસ ધમણની જેમ ચાલે, ને નાડીનું ઠેકાણું ન રહે. પલકમાં વહી જનારા આયુષ્યની ક્ષણભંગુરતાનો નિર્દેશ ગંગાસતીના અતિ પ્રસિદ્ધ ભજન “દેખાડું એ દેશ માં થયો છે. “વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઈ જ નહિતર અચાનક અંધકાર થાશે જોતજોતામાં દિવસ વયા ગયા પાનબાઈ | એકવીસ હજાર છસોને કાળ ખાશે” 24 (આવરદાના સાઠ વર્ષના દિવસોની સંખ્યા) ગંગાસતી મૃત્યુના વાસ્તવનો સંદર્ભ આપતાં કહે છે, “જાણવા યોગ્ય આત્મતત્વનું જ્ઞાન પામી લેવામાં નહિ આવે તો જોતજોતામાં મૃત્યુ આવી પહોંચશે ને દેહની રાખ થઈ જમીનમાં ભળી જશે. આખ્યાનશિરોમણિ પ્રેમાનંદ “દશમસ્કંધ' માં મૃત્યુ કોઈનેય ન મૂક્ત હોવાની વાત સરસ રીતે કરે છે. પર્વત કોરી પેસીએ, બેસીએ ધરા અંતર જઈ - લક્ષ રક્ષક સંગે, કવચ અંગે, તોયે મૃત્યુ મૂકે નહિ” 27 પ્રેમાનંદ આખ્યાનો ઉપરાંત “સ્વર્ગનિસરણી” નામનું એક લાંબુ કાવ્ય લખ્યું છે. જેમાં જમપુરીનાં દુઃખની વાત મૃત્યુના ભયને વ્યક્ત કરે છે. જમ જ્યારે જીવને લેવા આવે છે ત્યારે જીવને કેવાં દુઃખ પડે છે એનું હૃદયદ્રાવક ચિત્ર પ્રેમાનંદે અહીં રજૂ કર્યું છે. ચંબુઝારી એક કોરાણે મેલી | ખોખરી દોણી આપી રે લોલ ભૂંડો રે જમડો ફટકા બહુ મારે | જીવ રડે કોઈ છોડાવો રે” 28 કાયાનગરને કવિ “કારમું કહે છે. જીવતાંની સાથે જ સૌને સંબંધ છે. અંતે કોઈ કોઈનું નથી. જમકિંકર જ્યારે જીવને બાંધે છે, ત્યારે સમગ્ર પરિવાર દૂર નાસી જાય છે. સત્તરમા સૈકાનો જ્ઞાની કવિ અખો તો મૃત્યુનો જ ઇન્કાર કરી, મૃત્યુને તુચ્છ ગણે છે. જીવભાવનો તાણો અદશ્ય થતાં માયા સતાવતી નથી. અખાને મન મૃત્યુ ભયજનક નથી. મનને મારીને જીવતાં જ જીવનમુક્ત થયેલા ખુમારીવાળા જીવને વળી મૃત્યુનો ભય શો? તેમ છતાં માનવને પોતાના દેહની નશ્વરતાનો તથા આત્માની અમરતાનો અનુભવ થવો જોઈએ એમ તો અખો માને જ છે. એ સમયની વહેમ અને અંધશ્રદ્ધાભરી પરિસ્થિતિમાં જેતપુર પાસેના નાના ગામ દેવકીગાલોલમાં જન્મેલા ભોજા ભગતે અંગારઝરતી વાણીમાં સચ્ચાઈભર્યા હૃદયસોંસરાં ઊતરી જાય એવાં પદો આપ્યાં છે. મૂર્ખ અજ્ઞાન લોકોને ઢંઢોળવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust