________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * પર દશે દરવાજા બંધ છે, તૂટ્યા શ્વાસ તણા તાર રે” 13 કવિ પીઠો બાળપણના સાથી જીવ હંસલાને ઉદ્દેશી કહે છે - ક્યાં જઈ રે ' શો રાત આતમજીવડા, ગાડું ભર્યું ચંદન લાકડા ચડવાને ઘોડી કાટ * ચાર જણા તું ને ઉપાડી ચાલ્યા ખોખરી હાંડીમાં લીધી આગ 4 બુલાખીરામે “સાવિત્રીયમસંવાદમાં સાવિત્રી અને યમના સંવાદની કથા આલેખી છે. જેમાં યમરાજાનું પરંપરાનુસારી ભયજનક વર્ણન કર્યું છે. પણ છેવટે યમરાજાનેય બાંધી લેતી સાવિત્રીનો પ્રેમવિજય દર્શાવાયો છે. (પૃ. 503). કવિ ભાણ લોકોના સ્વાર્થી વ્યવહારનો ઉલ્લેખ કરતાં “કંકુવરણી કાયા કામ ન લાગે કે “મૂઆ પછી સળગાવી દેશે જેવી પંક્તિઓ આપે છે. જ્યારે જમ આવે છે લૂંટવા ત્યારે ઘરમાં ભયથી નાસી જતા માનવોની મૃત્યુબીકનો નિર્દેશ માંડણ કરે છે. તો કવિ રામદાસ જમકિંકરના જોરનો ઉલ્લેખ કરે છે. કવિ વીર, મૃત્યુ નાતજાત ન જોતું હોવાની ને કોઈ અમરપટો નહિ લખાવી લાવ્યાની વાત કરે છે. પણ કવિ અનંત, પ્રભુશ્રદ્ધાની વાત કરી મૃત્યુને સ્વસ્થપણે સ્વીકારવાની વાત કરે છે. જ્યારે બધી નાડી તૂટશે ને વ્યાકુળ જીવડો ગભરાશે, ત્યારે એ જ અલબેલા પ્રભુ લેવા આવશે એવી દઢ શ્રદ્ધા એમની છે. પ્રાચીન કવિ ભજનિકોએ કાળનું સ્વરૂપ તથા મૃત્યુના ભયને એકસાથે ઉલ્લેખ્યા છે. જન્મ્યો ત્યાંથી કાળે ઝાલિયો રે' કહેતા કવિ સંસારી સુખને વીજળીના ઝબકારા સાથે સરખાવે છે. મૃત્યુના આગમનની વાસ્તવિક્તાનું ભાન સતત કવિ કરાવતા રહે છે. સાપ જેમ ઉંદરને પકડે તેમ કાળ જીવને પકડે છે. માથા પર ફરી રહેલો કાળ ક્યારે જીવને પકડે એ કહી શકાતું નથી. આ વાત સમજાવતાં કવિ રામદાસ કાયાને ઢાંબડું કહે છે. ફૂટશે ફૂટશે ફૂટશે રે - તારું કાયારૂપી ઠાંબડું ફૂટશે રે” 15 તો કવિ ઋષિરાજ કહે છે, જમ દે નિત્ય ઝપાટા રે કોઈ ચેતનહારા ચેતો એક દિન કરશે કાળ હળાહળ ચડપ સુવાડે ચેહમાં” તો મન હરિદાસ ખુમારીપૂર્વક મૃત્યુને ભેટી પાછા આવ્યાનો આહલાદ વ્યક્ત કરી મૃત્યુ સાથેની પરમ મૈત્રીનો ઉલ્લેખ કરી મૃત્યુને મંગલ સ્વરૂપે વ્યક્ત કરે છે. કારણ જેણે ભવબંધન ત્યજી દીધાં છે. એને કોઈ કશાં બંધનમાં બાંધી ન શકે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ મધ્યકાલીન ગુજરાતી ભક્ત-કવિઓએ ઈશ્વરપ્રેમ અને ભક્તિ મોકળે મને ગાયા છે. એમાં એકરૂપતા અને દ્વૈત અનુભવ્યાં છે. તેથી મૃત્યુનો સંદર્ભ એમની કવિતામાં ઓછો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust