________________ 13 83 અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 51 જગતના વ્યવહારો પ્રત્યે કવિ આપણું ધ્યાન દોરે છે. જાણે કે મૃત્યુ બાદ મરનાર સાથેના બધાજ સંબંધો નષ્ટ ન થઈ જતા હોય? કોઈ કોઈનું ન હોવાનું કહેતા આ કવિ, અંતકાળે એકલા જવાની કટુ વાસ્તવિક્તાને આપણી સમક્ષ માર્મિક રીતે મૂકી આપે છે. મૃત્યુ પછી જીવે તરાપો કે તુંબડા વિના યાત્રા કરવાની હોય છે. સંત આશારામ મરતી વખતે થતી જીવની દશાનું વર્ણન કરે છે. (“મરવા ટાણે') મૃત્યુના આકસ્મિક આગમનની સામે કોઈની કશી હોંશિયારી ન ચાલતી હોવાની વાસ્તવિક્તા પ્રત્યે તેઓ આપણું ધ્યાન દોરે છે. કવિ કેશવ દેહરૂપી પિજંર પર માનવનો અધિકાર ન હોવાની વાત ભારપૂર્વક કહે છે. અહીં મૃત્યુની યાદ સ્વઓળખ માટે અપાઈ છે. (પૃ. 60) ગણપતરામનાં પદોમાં (પાનું 71) “મરણ ભમે છે માથે કે (પૃ. 77) “તારે માથે નગારા વાગે મોતના જો' કહી બળિયાઓ પણ મોતના પંજામાંથી છટકી શક્યા ન હોવાના સત્યને પ્રગટ કરે છે. સધળો સાંસારિક વૈભવ મૃત્યુ પાસે તુચ્છ હોવાની વાત આ કવિ રાવણના દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરી આપે છે. રાજા રાવણે અલખત ઈન્દ્રની આણી પણ પીવા નવ રહ્યો પાણી રે 9 એક જગ્યાએ માછલું પકડવા બેઠેલા બગલા સાથે મોતને સરખાવ્યું છે. સિંહણની આગળ હરણીના ઉગરવાના ફાંફાની જેમ મોતના પંજામાંથી ઉગરવાના ફાંફા વ્યર્થ છે. ગોપીચંદ એક પદમાં જમડાના મારને બૂરો” કહી મૃત્યુ “ખરાબ' હોવાનું કહે છે. “કૂલ્યા સો કરમાય જેવી અર્ધ પંક્તિમાં કોઈક પરમસત્યની ઉચ્ચતા પ્રગટ થઈ છે. ગોવિંદરામ કહે છે મૃત્યુ આવતાં “બળ કરી બોલાશે નહિ, જયાં બેઠું જમનું થાણું” જ જીવની પાછળ જમ પડેલો જ હોવાથી કવિ ગૌરીશંકર અભાગી જીવને આળસ તજવા કહે છે. કવિ ગંગદાસ પણ જમના મારનો ભય દર્શાવી ટૂંકા આયુષ્યનો નિર્દેશ કરે છે. તેઓ કહે છે, “મીઠી નીંદમેં પાંવ પસારા, ચિડિયા ચુગ ગાઈ ખેત તુમ્હારા” | તોરલદે જેસલને સંસારની સ્વપ્નવતતા સમજાવતાં માથે જમ કેરો ભાર હોવાની ચેતવણી આપે છે. ત્રિભુવન કવિ પણ એકલા જવાની તેમજ જમના મારની વાત કરે છે. ધીરો ભગત ટૂંકા આયુષ્યની વાત કરતાં કહે છે - “ઝાકળજળ પળમાં વહી જાશે, જેમ કાગળ ને પાણી કાયાવાડી તારી એમ કરમાશે, થઈ જાણે ધૂળધાણી જીવનકાયાને સગાઈ કેટલી, મૂકી ચાલે વન મોઝાર" " મરણના મારથી કોઈ ઉગરી શકે તેમ નથી, એ વાત ધીરો આ રીતે ઉચ્ચારે છે “મરનારાને તમે શું રવો નથી રોનારા રહેનાર” રહી કવિ નથુરામ પણ અંતકાળે “હાથી ઘોડાના ચડનારા જવાના' કહી દરેકને માટે મૃત્યુ નિશ્ચિત હોવાના વાસ્તવને રજૂ કરે છે. કવિ નરભેરામ રાજિયા મરસિયાં જેવું મૃત્યુકાવ્ય આપે છે. જીવ ગયે થયું શૂન્ય સૌ જ કાયા નગર સૂનકાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust