________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 48 બદદાને કોણ કોણ વહાલું રે દેદો રણ ચડે રે દેદાને બહેન વહાલી હોય દેદો રણ ચડે રે 4 તો સૂરજના અજવાળે રથ જોડીને જતા પ્રાણને ઉદ્દેશીને પણ હૃદયંગમ મરસિયાં લખાયાં છે. મરઘાનું પ્રતીક યોજીને લખાયેલા રાજિયામાં કુટુંબના મોભસમા પુરૂષને મરઘાનું પ્રતીક ગણવામાં આવ્યો છે. મૃત્યુ પામનાર યુવાન હોય તો એને “રાજવી', મોટી ઉંમરનો હોય તો “બાપજી' અને જમાઈ હોય તો “પરોણલો' તથા નવપરિણીત વહુ અવસાન પામે તો “મૈયારીઢેલડી' જેવાં ઉદ્દબોધનો મરસિયામાં હોય છે. અભિમન્યુ અને ઉત્તરાના સંદર્ભમાં પણ રાજિયા મરસિયાં લખાયા છે. આ રાજિયામાં “વરસાવ્યા વાર-કવાર', “જેવા પહેર્યા તેવાં ઉતર્યા માં નંદવાતાં સૌભાગ્યની વાત વેધક રીતે સૂચવાઈ છે. રાણી રૂવે રે, રંગ મહેલમાં - દાસી રૂવે રે દરબાર, ઘરમાં રૂવે રે લીલાં ઝાડવાં છોરું રૂવે રે ઘર આંગણે પણ અહીં અભિમન્યુના વીર મૃત્યુની તથા ઉત્તરાના કમનસીબની વાત ગૂંથાઈ છે. તો બીજે એક સ્થળે પણ મરનારને “મરઘા' રૂપે વર્ણવી આજનો ઉપડી ગયેલો દીકરો હવે નહિ મળે. છ એક માસે, ભાદરવાના પાછલા પખવાડિયે મળશે, એમ કહી, શ્રાદ્ધવિધિ વખતે જીવંત થતી સદૂગત સ્વજનની સ્મૃતિનો નિર્દેશ કરાયો છે. અભિમન્યુ અને ઉત્તરાની જેમ રામ અને સીતાના રાજિયા પણ લોકજીભે કંડારાયા છે. “શ્રી રામરામ રે, રાંધી રસોઈઓ ઇમ રહી રે . . ઢાળેલા પોઢિયા ઇમ રહ્યા રે. શ્રી રામરામ રે, કાચા તે કંપનો ઘડુલિયો રે નંદાતા ન લાગે રે વાર....પ્રાણીયા” 6 આ ઉપરાંત તિથિ અને માસના સંદર્ભવાળા રાજિયા પણ રચાયા છે. પડવે તે ગામ જઈએ પડવે બેસતું વર્ષ જો, ઘડી રે રાખો ને બેની પાલખી” મૃત્યુના અર્થમાં ગામ “ગામતરે જવું' શબ્દનો પ્રયોગ કરાયો છે. કેટલીક લોકવાર્તાઓ “પ્રેમ મૃત્યુની ભાવનાને સ્પર્શે છે. જે અંતે તો કરુણમાં જ પરિણમતી જોવા મળે છે. સળંગ પદ્યરૂપે રચાયેલી લોકવાર્તામાં વેળુ અને ભોજાની વાર્તા પ્રેમ તથા મૃત્યુને સાંકળતી એક કરુણકથા છે. બંને વચ્ચે પ્રીત બંધાતાં વૃક્ષવેલીના મંડપ વચ્ચે લગ્ન થાય છે. પણ જાહેરમાં તો અંતે વેળુને રાણા સાથે પરણવું પડે છે. કરુણની હદ એ કે જાહેરલગ્નમાં પાછો ઢોલ વગાડનાર તો ભોજો છે. દારૂના નશામાંય એ વેળુને ઓળખી કાઢે છે. ભોજાની વાટ જોતી ઊભેલી વેળુ એકવાર રાતા શીગડે રંગાયેલી ગાય પાસેથી જવાબ માગે છે ત્યારે ભોજાએ તાણેલી અંતિમ સોડની ગાય વાત કરે છે. ને એ P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust