SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 47 લોકસાહિત્ય અને મૃત્યુ કરુણરૂપે બારબાર વરસે ઘેર આવનારો રજપૂત ઘરમાં પોતાની પરણેતર ન જેનાં “પાતળી પરમાર'ને શોધવા નદીએ, અને નહેરે, ઘંટીએ અને રથડે, પારણીએ ખારણીએ કરી વળે છે. પણ ક્યાંય - નો દીઠી પાતળી પરમાર જાડેજી મા મોલમાં દીવો શગ બળે રે 3 ને આખરે પાપણી માતાએ એની હત્યા કરી ને લટકાવેલી લોહીભીની ચૂંદડી નજરે પડતાં, “કોરી ટીલડી’ને ‘કોરી ઓઢણી મળે છે. આવો જ હૃદયસ્પર્શી કરુણસંદર્ભ “વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં લોકગીતમાં વણાયો છે. મા અને બહેનનાં, પોતાની પત્ની પરત્વેનાં મહેણાં ટોણાંથી ને કલેશથી હારી ચૂકેલો યુવાન અફીણ ઘોળી, પત્ની વ્હાલી હોવા છતાં એને કહે છે, “પીવો ગોરી, નીકર હું પી જાઉં જો ત્યારે પતિ પર પ્રેમનીતરતી લાગણી ધરાવતી પત્ની કોઈ જ શબ્દ ઉચ્ચાર્યા વિના ઘટક દઈને ગોરા-દે પી ગયાં રે લોલ “સોનલા સરખી વહુની ચે' ને રૂપલાંસરખી વહુની રાખનો નિકટનો દા અને સૃષ્ટા જીવડો, પતિ, બાળીગળીને ઘેર આવે છે. વહુ જતાં માના ઘરમાંથી માની દૃષ્ટિએ તો કાશ જાય છે. મોકળાશ વ્યાપે છે. પણ પતિ તો સદા માટે ભવનો ઓશિયાળો બની રહે છે. નગરસાસરે માં સાત શોધે આપેલી ચૂંદડી ઝેર ભેળવાયેલી હોવાથી, કાળી ચીસ પાડી ઊઠતી સ્ત્રીની વેદનાને અંતે મૃત્યુ, લોકકવિ આ રીતે વર્ણવે છે - સોનલવરણી બાની ચેહ બળે છે ને રૂપલાવરણી બાની રાખ ઊડે છે. લોકસાહિત્યમાં લોકગીતોની જેમ લોકવાર્તાઓ પણ અર્ધા ગદ્ય, અધ પદ્ય કે ક્યારેક સળંગ પદ્યરૂપે આપણને મળે છે. સામાજિક લોકગાથામાં હૃદયને હચમચાવી નાખે એવી કથા “સોનબાઈની ચુંદડી' ની છે. જેમાં ઘરમાં ખટકતી નણંદીનું કાસળ કાઢવા ઇચ્છતી સ્ત્રીનો પતિ બહેનને મારી નાખે છે. ને ભાભીની ચૂંદડી લોહીથી રંગાય છે. જ્યાં બહેનની કોમળ કાયા દાટી છે, ત્યાંથી વીર પસાર થાય છે, ત્યારે, ભૂતકાળનાં ગીતસ્મરણ ભણકારા રૂપે હૃદયને કંપાવી દે છે. “કોણ હલાવે લીમડી ના શબ્દ રણકાર હૃદયને વીંધી નાખે છે. તો ક્યાંક સાસરિયે સાસુનાં મહેણાંને લીધે જીવનને હોમી દીધું છે, એવી બહેનના વહાલસોયા ભાઈની કરુણાભીની વાત્સલ્યવ્યથાઓય અહીં ગૂંથાઈ છે. લોકકથાઓ કરતાં લોકગીતો વધુ પ્રાચીન અને પુરોગામી હોવાનો પૂર્ણ સંભવ છે. યોગ્ય વિચાર તો તેને કવિતાબદ્ધ કરીને કંઠસ્થ રાખતો. લોકગીતોમાં અત્યંત કરુણ સંદર્ભ મળે છે. “મરસિયામાં, સ્વજનના મૃત્યુ નિમિત્તે નારી હૃદયમાંથી આપમેળે સરી પડેલા લાગણીભીના ઉદ્ગારો મૃત્યુજન્ય કરુણાની પરાકાષ્ઠા છે. મૃત્યુ અહીં કેવળ કરુણ અને કરૂણ જે રૂપ ધરીને આવે છે. આપણા લોકસાહિત્યમાં કુંવારી કન્યાઓની દેદો ફૂટવાની રમતનો સંદર્ભ મળે છે. આ રમતના મૂળમાં લાઠીના ચોકમાં બાદશાહની કેદમાં P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy