________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 463 જવું છે સહેજેય ખડખડાટ વિના. - કવિ શશિશિવમ્ સદ્ગત પિતાનો ને પોતાનો ય પુનર્જન્મ થાય તો ફરી એ જ પિતા, પિતારૂપે મળે એવી ઝંખના વ્યક્ત કરે છે. (“રૂપરોમાંચ') કવિ મૃત્યુ પામે ત્યારે (“જ્યારે શ્વાસનો શ્વાસ') પોતાનો આવાસ છેલ્લીવાર મનભરી જોઈ લેવા ઝંખે છે. ક્લેશ, રૂદન, રઘવાટ, અશાંતિ વિના, હળવાશથી જવું છે એમને. બહાર વૃક્ષો તળે અબઘડી તેઓ સ્વજનોને થંભી જવા વિનવે છે. ઘેઘૂર ગુલમહોરની લાલચટક ચાદર છેલ્લે તેમને ઓઢી લેવી છે. માતૃસ્નેહરસમાં બોરસલીનાં બે પુષ્પ છેલ્લે પોતા પર વરસે એવુંય ઇચ્છી જવાય છે. પુત્રસમો મીઠડો ગુલમ્હોર શું ભૂલાય? પારિજાતની મૂદુમોંઘી છાંય પણ છેલ્લે ઓઢવી છે, ને પછી હળુહળુ પદે સૌને સંચરવા તેઓ વિનવે છે. સહૃદયસંગ જ્યાં જ્યાં અનેક ગોઠડી કીધી હતી, એ હૃદયસ્થાનોને, એ બધી મધુરતાને મમળાવી લેવા તેઓ ઈચ્છે છે. છેલ્લે ઊતારી હળવેકથી ખાંધથી, ને અગ્નિસુહૃદ મુજનો નિતનો રહ્યો છે તેને કરે કર દઈ મુજ સોંપી દેજો આ કાય, ને....” પર યોસેફ મેકવાન “અભિલાષ' (‘સ્વગત)માં મૃત્યુ પામી ફરી જન્મ ધરી ધરાના નવ્યપથમાં પદૂચિહ્ન મૂકી ઘૂમવાની ઝંખના પ્રગટ કરે છે. - કવિ યશવંત ત્રિવેદીનું વસિયતનામું એમની મૃત્યુઝંખનાનું પ્રતીક છે. (“આશ્લેષા'). મૃત્યુ સમયે તેઓ કશું યાદ કરવા નથી માગતા, સ્વજનોય નહિ. જૂહુના સમુદ્રને ધુમ્મસથી ચીતરતા જવો છે, ને ગીતોને સ્વપ્નના જલમાં તરતા મૂકી દેવાં છે. એક પૂર્ણ સુખી વિશ્વનું એક અપૂર્ણ કાવ્ય મારા કાવ્યસંગ્રહના અંતિમ | પૃષ્ઠ પર” 253 નીતિન મહેતાએ “મૃત્યુ' નામના કાવ્યમાં રજૂ (નિર્વાણ') કરેલી ઝંખના વિચિત્ર છે. મૃત્યુ પહેલા કેટલાક રોગ થાય એવું તેઓ ઝંખે છે. દમિયલ હવા એમના શ્વાસને સ્ટીલના બનાવી દે એ એમને ખૂબ ગમે. શતરંજની ચાલ તેઓ ચાલતા હોય, નાનીપ્લેન હાથમાં કૉફીનો કપ લઈ ઊભી હોય અને ત્યાં જ એમનો ડોરબેલ રણકી ઊઠે (મૃત્યુના આગમનનો) તો એમને ઘણું જ ગમે. મેઘનાદ ભટ્ટને પુનર્જન્મનું જ્ઞાનભાન તો નથી. પણ જો પુનર્જન્મ હોય તો, ઇચ્છામૃત્યુની જેમ ઇચ્છાજન્મ શક્ય હોય તો ડફોળશંખ ગર્દભશિરોમણિ થયું છે એમને. સંવેદનશૂન્ય બનવું છે તેમને? કાવ્યનાયકે આમ તો સંસાર ભરપૂર માણ્યો છે. પણ ન કરે નારાયણ ને, ખબરેય ન પડે ને એમનું મૃત્યુ થાય તો, પોતાને જીવાડવા કોઈ પ્રયત્ન ન કરે એવી તેમની ઝંખના છે. મૃત્યુ આવે તો મરી જ જવું છે) (“આળસાઈટિસ) મરવા વાંકે જીવ્યે જવાની સજા હવે જોઈતી નથી. મુક્ત થવું છે હવે પોતાનાથી પણ. (‘મલાજો') એ “ભલે' નામના કાવ્યમાં ગુણવંત શાહની (“વિસ્મયનું પરોઢ') એક વિશિષ્ટ ઝંખના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust