________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 461 મૃત્યુના જાસાથી કે તેઓ સભાન છે. કવિ દિનકર શાહે “જય” “કદાચ છેલ્લીવાર'માં (“અજનવી વસ્તીમાં) સ્વમૃત્યુ કલ્પના કરી છે. સૂર્યના ઝળહળતા પ્રકાશની સુવર્ણમયી રેખાઓને કદાચ તેઓ છેલ્લીવાર જુએ છે. કાલે વૃક્ષ પરથી જ્યારે પહેલું ફૂલ ખરી પડશે, ત્યારે પૃથ્વીની ભીની ભીની સુવાસમાં એમની માટી ઓગળી ગઈ હશે. “સવારે' કાવ્યમાં “હિમ સરોવર નીચેથી સૂર્યનું દટાઈ ગયેલું શબ મળી આવશે” કહેતા કાવ્યનાયક પોતાના ભાવિમૃત્યુનો સંકેત આપે છે. પડાવ' કાવ્યમાં પોતાનો દેહ નષ્ટ થયા પછી સ્વજનોની સ્થિતિનું કલ્પનાચિત્ર રજૂ કરે છે. એ લોકો મારાં દેહ નષ્ટ થયા પછીય મારાં પુસ્તકોમાં મારાં થાસનાં જીવંત આંદોલનો મેળવવા ઝંખતાં હશે ત્યારે, કોઈ વણથંભી મુસાફરીએ નીકળેલા પ્રાણ અશ્વ-પીઠ પર થાકી વસ્તીમાં ક્યાંક શોધતા હશે પડાવ” 41 દિનકર શાહ મોતની ઘાટી પરથી માંડ માંડ બચીને, જિંદગીનો આસવ પીવા આવ્યા છે. મોતની ઘાટી પરથી પાછા ફરેલા તેઓ પાછા મોતના જ ઇંતેજારમાં જીવન પસાર કરે છે. સ્વમૃત્યુની વાત તેઓ સાંકેતિક રીતે કરે છે. “કાલે સવારે જ્યારે રાતભરનો તોફાની સમુદ્ર શાંત થશે.... નિર્જન ઘાટી પર એના રુદનમાંથી જન્મતા વેદમંત્ર સાંભળતો હું કોઈ તૂટેલા ખડક પર માથું ટેકવી, સૂતો હોઈશ નિશ્ચિત 40 કાવ્યનાયક કેવીય નિરાધાર અવસ્થા વચ્ચે પોતાના ખોળિયાને ઓગળતું જોઈ રહ્યા છે. (‘પ્રાયોગિક ધોરણે-૨૩ “સ્પર્શ') પ્રાયોગિક ધોરણે આ અવિશ્રાંત ધીકતી ચેહને, સૂર્યકિરણોમાં એકરૂપ કરી દઈ પ્રિય સ્વજનની ઓસરીમાં તેઓ પાથરી દેશે. બાદલ' ગણેશ સિંધવ (વિષાદિતા') અસ્તિત્વને ખરતા તારા જેવું ગણાવે છે. આ કવિએ પણ સ્વમૃત્યુ અને પોતાની શોકસભાની વાત કરી છે. શોકસભામાં લોકો શબ્દના ચાકળા ને તોરણના પ્રદર્શન કરી, બધું એમજ મૂકી વિખરાઈ જવાના. - કવિ ચિત્રકાર રાજુ પારેખ વિશિષ્ટ રીતે સ્વમૃત્યુની વાત કરે છે. “અંત્યેષ્ટિ' નામના કાવ્યમાં પોતાની પ્રશસ્તિને તેઓ અંત્યેષ્ટિ સમજવાનું કહે છે. “કાળા અક્ષરે પાળિયો નામે રાજુ પારેખ સંવત 2045 શ્રાવણ સુદ નોમ અનુરાધા રાત્રે 8 રોહિણી નક્ષત્ર પૂર્વે પાંપણે સૂર્યાસ્ત, 6.58" 48 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust