________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 458 મધ્યવયે થયેલા મૃત્યુની (અથવા રસ્તામાં થયેલા મૃત્યુની વાત) કલ્પાઈ છે. દુન્યવી શિષ્ટાચારની વાત કરતાં કાવ્યનાયક કહે છે, પોતે સારો માણસ હતો, નખમાંય રોગ નહિ, ને મરી ગયો. પુનર્જન્મની વિચારધારા પર કટાક્ષ કરતાં આ કવિ વેધક શૈલીમાં લખે છે. “હું બિનવારસી ને જીવ સાલો કોઈને પેટ પડી સુંવાળા સુંવાળા જલસા કરતો હશે પણ કાકો ફરી અવતરશે ને માણસીગીરી કરશે, હીહીહી” 240 અહીં મરવાની કલ્પના, મરી ગયાની ભ્રમણા, ને પછી પાછા જીવતા હોવાની પ્રતીતિ થાય. “ભરી સભામાં ચૂપ' મરસિયા પ્રકારનું કાવ્ય છે. કાવ્યનાયક પોતાના સંભાવી મૃત્યુનું અહીં વર્ણન કરે છે. ને પોતાના મરણનું મરસિયું ગાય છે. પોતાની મૈયતમાં પોતે ડાધુ બની પાછળ પાછળ જવાની કલ્પના કરતાં કવિ કહે છે આ તો મૈયતના મામલા . * તે ડાઘુઓનો વેશ પહેરી વાંહોવાંહે હાલ્યો મારો ડાવુછાપ સ્વ” 1 રમેશ પારેખે સ્વમૃત્યુકલ્પનાનેય મજાકરૂપે વ્યક્ત કરી છે. કર્ણકટાક્ષ પણ ખરો જ. ને સંધીય માયા ઠઠી રહી છડેચોક આમ” 242 રમણીયતા સભર કામરૂ દેશની વાત મૃત્યુ પછીના સ્વર્ગની કલ્પનાનો કટાક્ષસભર નિર્દેશ કરે છે. જીવ શરીરને ભડભડ બળવાનું કહે છે. પોતાની ખાંભી, ગઢી, ગઢ, ખસૂડી પાઘ, ખેસ, વેશ બધુંજ અખિયાતું-મુબારક હોવાનું જણાવતો આ જીવ સાચું કહે છે. “ત્રણ અક્ષરની છાંયડી ને તેની નીચે હું કંઠ તૂટી કટકા થયો પીતાં છાની લૂ છાની લૂ પીધી અમે ને પ્રગટ થયાં જે રૂપ તેને કારણ લ્યો અમે ભરી સભામાં ચૂપ” 43 કવયિત્રી પન્ના નાયક પોતાના મૃત્યુની કલ્પના કરતાં, ઇષ્ટદેવની મૂર્તિ સમીપ રોજ સવારે ઘીનો દીવો પ્રગટાવતાં, આંખ પાસે ભડભડ બળતી ચિતા જુએ છે. તેને પોતાના જ મૃત્યુની ઘટના અક્ષરબદ્ધ થાય છે) “મારાં વસ્ત્રો સરી પડે છે' કહ્યા પછી “શરીર સરી પડે છે' કહેવાની જરૂર નહિ. “બાહુ પ્રસારી કોઈ એમને સમાવી લે છે, ને ધરતી પર રહી જાય છે માત્ર રાખ' શરીર ભસ્મીભૂત થઈ જાય છે. 243 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust