________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 457 એમના બિછાના પર ધીરે ધીરે રણરેત ખર્યા કરે છે. ને શાશ્વત જનાજો ઊઠાવી લઈ જાય છે આ ડાધુઓ નકશીર્ષ ચાલતા આ ડાઘુઓમાં હું મને ઓળખી કાઢું છું” 230 અદ્યતનયુગ : સ્વમૃત્યુ કલ્પના કવિ મકરંદ દવે કલ્પના કરે છે કે કદાચ આજે તેઓ મરી જાય તો તો કાવ્યની એક કડી અહીં વિલુપ્ત થાય, ને બીજે વળી એ જ કાવ્ય બને. પોતાના મૃત્યુ પછી કોઈક પોતાનાં ભજન વખાણશે, કોઈ વખોડશે. સ્મશાનમાંથી પણ બેએક મજાક કરી લેવાની ઇચ્છા થાય, પણ પ્રાણવિહોણા વદને વંદન શી રીતે કરી શકાય ? પોતાના મૃત્યુ વિશે, ને પોતાની ઉત્તરક્રિયા વિશે તટસ્થ રીતે વિચારવું કે કલ્પવું દુષ્કર છતાં રમ્ય અનુભવ છે. જગદીશ જોશીએ પોતાની ઉત્તરક્રિયા જોયાની કલ્પના કરી છે. (‘હું જોઉં છું મારી ઉત્તરક્રિયા') ભડભડ બળતી ચિતા પાસે માણસો વાતો કરતા હશે, પણ મૃત્યુ પામેલી વ્યક્તિના કાન તો સાંભળી શકવાના નથી. સ્મશાનમાં પ્રવેશતાં જ મંદિર આવશે, પણ મરનારને એ મંદિર નહિ દેખાય. એનાથી હાથ પણ ન જોડી શકાય. કવિ લાભશંકર પ્રતીકાત્મક રીતે સ્વમૃત્યુ કલ્પના કરે છે. “પણકદાચ આવતી કાલે અચાનક હું જમીનદોસ્ત થઈ જાઉં ત્યારે મારા પર વિશ્રબ્ધતાથી રચાયેલા અનેક નીડર નષ્ટ થઈ જશે તમે કહેશો પ્રકાશથી તો વૃક્ષનો વિકાસ થાય છે પણ મૃત્યુ પામીને હું એનો ઈન્કાર કરીશ” 238 ટોળાં અવાજ ઘોઘાટ'ના પહેલા વિભાગના અંતિમ કાવ્યમાં લાભશંકરે સ્વમૃત્યુકલ્પના કરી છે. મૃત્યુ થતાં ઇન્દ્રિયો ચૈતન્ય ગુમાવી બેસે છે. હૈયું ખાલીખમ થઈ જાય, અસ્તિત્વના બધાં જ બંધન તૂટી જાય છે. દેહઈમારતના નળિયા ખૂટી પડે છે. “આત્મપ્રકાશ'ની વાત પર કટાક્ષ કરતાં તેઓ કહે છે. ખટમાસ ઊંઘમાં ગાળિયા રે જણ જીવોજી ....ભડભડ ચેહમાં બાળિયા રે જણ જીવોજી અમથાં અલખ અજવાળિયાં રે જણ જીવોજી” 239 કવિ રમેશ પારેખનો કાવ્યનાયક સ્વમૃત્યુ થયા પછી પોતાનું શું થાય છે, એનો જાણે આંખે દેખ્યો હેવાલ આપતા હોય એમ વિગતો રજૂ કરે છે. “હું મરી ગયો અંતરિયાળ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust